વલસાડ: રાજ્યમાં સ્કૂલ ફીને લઇને વાલી સ્કૂલ અને સરકાર વચ્ચેની લાંબી મડાગાંઠ ઉકેલાઈ રહી નથી ત્યારે હજી પણ શાળા અને વાલીઓ અવઢવમાં છે. ત્યારે એફ. આર. સી. કમિટીએ કેટલીક શાળાને વધારે ફી લેવાની પરવાનગી આપી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ચોંકાવનારું નિવેદન આવ્યું છે.
રાજ્યના મુખ્યપ્રધાને નિવેદન આપતા જણાવેલ કે સ્કૂલને ફી સ્લેબ ઉપર લેવાનો અધિકાર છે. પણ કેટલી લેવી તે એફ.આર.સી જ નક્કી કરશે. આ સાથે CM વિજય રૂપાણીએ જણાવ્યું છે કે કેટલી ફી છે એ મહત્વનું નથી પણ વ્યાજબીપણું મહત્વનું છે.
આપને જણાવી દઇએ કે મુખ્યમંત્રી વિજય રૂપાણી વલસાડ જિલ્લાની આજે મુલાકાતે હતા ત્યારે જિલ્લાના ચીખલા ગામની પ્રાથમિક સ્કૂલમાં ગુણોત્સવમાં હાજરી આપી હતી. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં ઉંચી ફી અને એફ.આર. સીના નિર્ણય બાદ અમદાવાદની કેટલીક સ્કૂલોની જાહેર થયેલી ઉંચી ફીના મામલે CMનું ગોળગોળ અને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.