કોરોના વાયરસ / જનતા કર્ફ્યુને દેશભરમાંથી સમર્થનઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનુ નિવેદન

આજે દેશભરમાં જનતા કર્ફ્યૂનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ લોકોએ જનતા કર્ફ્યૂનું યોગ્યપણે પાલન કર્યું છે. ગુજરાતમાં હાલની સ્થિતિને લઇ નીતિન પટેલે કહ્યું કે જનતા કર્ફ્યૂને દેશભરમાંથી લોકોનું સમર્થન મળી રહ્યું છે. અને નાગરિકોએ દેશની સુરક્ષા માટે આ પાલન કર્યું છે. ત્યારે રાત્રે 9 બાદ પણ લોકો બહાર ન નીકળે. વાયરસના ફેલાવામાં ઘટાડો લાંબાગાળે જોવા મળશે. એટલે આપણી આજની મહેનત એળે ન જવી જોઇએ. ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં આજે વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલે રાજ્યમાં કુલ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ