રવિ શાસ્ત્રીએ મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડ સાથેની સરખામણી પર કહ્યું હતું કે તેના સમયમાં ટીમ ઈન્ડિયા બે વખત એશિયા કપ વિજેતા રહી હતી, સારી વસ્તુ સમય લે છે.
મારા સમયમાં ટીમ ઈન્ડિયા બે વખત એશિયા કપ વિજેતા રહી
ભારતમાં લોકો માત્ર ટ્રોફી જીતવાની ચિંતા કરે
એશિયા કપ જીતીએ તો કઈં નહીં પણ હારીએ તો બધા ચર્ચા કરે
જ્યારથી રાહુલ દ્રવિડે ભારતીય ટીમના મુખ્ય કોચનું પદ સંભાળ્યું છે, ત્યારથી 16 મહિનાની એમની સફર ઘણી કડવી રહી છે. લોકોના કહેવા મુજબ રાહુલ દ્રવિડ હિટ કરતાં વધુ મિસ થયા છે. સાઉથ આફ્રિકામાં ટેસ્ટ અને ODI સીરિઝની હાર, એશિયા કપની ફાઇનલમાં ક્વોલિફાય ન થવું અને T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં 10 વિકેટની હાર એ દ્રવિડ માટે સૌથી કડવી હતી.
જો કે આ બધાની સામે થોડી સકારાત્મકતા જોવા મળી છે.. જેમ કે ભારત ઘરઆંગણે દરેક સીરિઝ જીતે છે અને ઓસ્ટ્રેલિયા સામે 2-1થી જીત મેળવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ જીતી હતી.
મારા સમયમાં ટીમ ઈન્ડિયા બે વખત એશિયા કપ વિજેતા રહી
આપણએ બધા જણી છીએ કે દ્રવિડ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી હતા. એવામાં ઘણા લોકો બંનેને સરખામણી પણ કરે છે. રવિ શાસ્ત્રીએ મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડ સાથેની સરખામણી પર કહ્યું હતું કે તેના સમયમાં ટીમ ઈન્ડિયા બે વખત એશિયા કપ વિજેતા રહી હતી. તે સમય લે છે. રાહુલ દ્રવિડ પણ સમય લેશે પણ રાહુલને એક ફાયદો છે કે તે એનસીએમાં હતો, તે A ટીમ સાથે પણ હતો અને હવે તે અહીં પણ છે અને મોટાભાગના ખેલાડીઓ તેમના સમયના છે.
ભારતમાં લોકો માત્ર ટ્રોફી જીતવાની ચિંતા કરે
એક ઈન્ટરવ્યુમાં શાસ્ત્રીએ ઘણી બાબતો પર ખુલ્લેઆમ નિવેદન આપ્યું હતું. સાથે જ તમને જણાવી દઈએ કે આ વર્ષના વર્લ્ડ કપ સાથે દ્રવિડનો કરાર સમાપ્ત થવાનો છે. જો કે માનવામાં આવી રહ્યું છે કે તેમનો કાર્યકાળ વધી શકે છે અને શાસ્ત્રીએ દ્રવિડને ટેકો આપતા કહ્યું હતું કે ભારતમાં લોકો માત્ર ટ્રોફી જીતવાની ચિંતા કરે છે. આ સિદ્ધાંતને સમજાવવા માટે શાસ્ત્રીએ 2016 અને 2018ની યાદોને યાદ કરી હતી જ્યારે ભારતે સતત બે વખત એશિયા કપ જીત્યું હતું.
એશિયા કપ જીતીએ તો કઈં નહીં પણ હારીએ તો બધા ચર્ચા કરે
એમને આ વિશે નિવેદન આપતા કહ્યું હતું કે આપણા દેશમાં વસ્તુઓ લાંબા સમય સુધી યાદ નથી રહેતી. જો તમારે જીતવું હોય તો તમારે જીતવું જ પડશે. અમે મારા કાર્યકાળ દરમિયાન બે એશિયા કપ જીત્યા હતા પણ એ કોઈને યાદ નથી. શું કોઈએ એશિયા કપનો ઉલ્લેખ કર્યો? અમે તેને બે વખત જીત્યા છીએ. તેના વિશે કોઈ વાત કરતું નથી પણ જ્યારે આપણે એશિયા કપમાં હારીએ છીએ ત્યારે તેની ચર્ચા થાય છે. શા માટે? એટલા માટે હું કહું છું કે હંમેશા પ્રયત્ન હોવો જોઈએ.