અમેરિકામાં એક યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચ મુજબ કોફી અથવા બીયર પીવાની આપણી પ્રાથમિકતા આ પર્દાર્થોના સ્વાદ પર આધારિત નથી.
અમેરિકામાં એક યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચ મુજબ કોફી અથવા બીયર પીવાની આપણી પ્રાથમિકતા આ પર્દાર્થોના સ્વાદ પર આધારિત નથી. પરંતુ એ પીધા બાદ આપણે કેવું અનુભવીએ છીએ તે વાત પર નિર્ભર રહે છે.
અમેરિકામાં નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આપણા સ્વાદ માટે જવાબદાર જીનમાં રહેલી વિવિધતા પર શોધ કરી, જેથી આ પદાર્થને પીવાની આપણી પ્રાથમિકતા વિશે જાણી શકાય. કેમકે તેને સમજ્યા બાદ લોકોના ખાન-પાનમાં બદલાવ વિશે સમજવામાં મદદ મળી શકે છે.
તેમણે બ્રિટેનની બાયોબેન્કમાં 336000 લોકોને પીરસવામાં આવેલી કડવી અને મીઠા સ્વાદ વાલા પીણાની સંખ્યાની ગણના કરી. અહીં એક્સપર્ટે કડવા અને મીઠા સ્વાદવાળા પીણાના સેવન પર તેમના જીન આધારિત સંબંધ પર અધ્યયન કર્યું. આ અધ્યયન 'હ્યૂમન મોલેક્યૂલર જેનેટિક્સ' માં પ્રકાશિત થયું છે.
આ અધ્યયનથી જાણવા મળ્યું કે કડવા અને મીઠા સ્વાદ વાળા પીણાની આપણી પ્રાથમિકતા આપણા સ્વાદ માટે જવાબદાર જીનમાં વિવિધતાના કારણે નહીં પરંતુ આ પદાર્થોને લઇને મનોવૈજ્ઞાનિક સક્રિયતા પેદા કરનાર જીન પર આધારિત હોય છે.
નોર્થવેસ્ટર્ન યૂનિવર્સિટી ફીનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનમાં સહાયક પ્રોફેસર મર્લિન કોર્નેલિસે જણાવ્યું કે આપણી પ્રાથમિકતાને રેખાંકિત કરનારી આનુવંશિકતા આવા પીણાને લઇને આપણા મનોવૈજ્ઞાનને સક્રિય કરતા ઘટકથી સંબંધિત હોય છે.
કોનેર્લિસે એક નિવેદનમાં જણાવ્યું કે કોફી અને બીયર પીધા બાદ લોકો જેવું અનુભવે છે એ રીતે જ તેને પસંદ કરવામાં આવે છે. તેથી લોકો આ પીણાને પીતા હોય છે. સ્વાદને કારણે નહીં.