પાટણના સાંતલપુરના હામીરપુર ગામ પાસે કેનાલમાં ગાબડૂં પડ્યુ છે. ડિસ્ટ્રીબ્યુટર નર્મદાની કેનાલમાં 15 ફૂટથી મોટું ગાબડું પડ્યું હોવાની ઘટના તાજેતરમાં સામે આવી હતી. કેનાલમાં ગાબડૂં પડતા પાસે આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેતરમાં પાણી આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
આ મામલે મળતી જાણકારી મુજબ પાટણના સાંતલપુર તાલુકાના હામીરપુર ગામ પાસેની ડિસ્ટ્રીબ્યુટર નર્મદાની કેનાલમાં 15 ફૂટથી વધારેનું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી-પાણી થઇ જવા પામેલ.
ઉલ્લેખનીય છે કે એક તરફ નર્મદા જિલ્લા ખાતે આવેલ સરદાર સરોવર ડેમમાં દિવસેને દિવસે જળસપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. તો આ સાથે જ ગુજરાતમાં ગતવર્ષની સરખમાણીએ ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે ત્યારે તાજેતરમાં હામીરપુર ગામ પાસેની એક કેનાલમાં ગાબડું પડ્યું હતું.
આ પ્રકારની છેલ્લા કેટલાય સમયગાળાથી બની રહી છે તેમછતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઇપણ પ્રકારના ચોક્કસ પગલા લેવામાં નહીં આવતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ હતી. અને આ મામલે સરકાર તથા સ્થાનિક તંત્ર તાત્કાલિક અસરથી પગલાં ભરે તેવી ખેડૂતોએ માંગણી કરી હતી.