પાટણમાં ચંદ્રાવતી ગામના ખેડૂત ઠાકોર દલપુજી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી ફરાર થઇ ગયા છે. વાડાનો કબજો કેટલાક લોકોએ પડાવી લેતા ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી હતી.
આ ખેડૂતે સિદ્વપુર પ્રાંત કચેરી અને રેવન્યુ વિભાગમાં આત્મવિલોપનની અરજી કરી છે. અગાઉ પણ 100 લોકોના ટોળાએ ઘરનું છાપરું તોડી ધમકી આપી હતી. જે ઘટનાની ગૃહમંત્રી ગાંધીનગર સચિવાલયમાં અરજી કરી હતી.
અરજી કરવા છતાં પોલીસ ફરિયાદ અને અરજીનો ઉકેલ નહી આવતા આત્મવિલોપનની ચીમકી આપી છે જે ચીમકીને લઇને અરજદારની ઘરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.