સુરતમાં પેસેન્જર્સે હોબાળો મચાવીને બિકાનેર-યશવંતપુર ટ્રેન બે કલાક સુધી રોકી રાખી, એસી ખરાબ થયુ હોવાથી નોંધાવ્યો વિરોધ
બિકાનેર-યશવંતપુર ટ્રેનના મુસાફરોએ કર્યો હોબાળો
ACમાંથી પાણી ટપકતા યાત્રીઓમાં રોષ
અન્ય ટ્રેન બદલી આપવાની યાત્રીઓની માંગ
એક તરફ ટ્રેનોમાં ટિકિટના દરો વધારવામાં આવે છે તો બીજી તરફ પુરતી સગવડ આપવી પણ જરૂરી બને છે. ગરમીને કારણે પેસેન્જરે એસી ટ્રેનની ટિકિટ લીધી હોયઅને તેનો સામાન વિના વરસાદે ટ્રેનમાં જ પલળી જાય તો પારાવાર રોષ અનુભવાય તે વ્યાજબી છે. ત્યારે સુરતના રેલવે સ્ટેશન પર પણ કંઇક આવુ જ થયુ. વિના વરસાદે મુસાફરો સામાન પલળતા મુસાફરોએ હોબાળો મચાવ્યો.
ACમાંથી પાણી ટપકતા મુસાફરો રોષે
વાત જાણે એમ હતી સુરત રેલવે સ્ટેશન પરથી બિકાનેર-યશવંતપુર ટ્રેનમાં એસી બગડી ગયુ હતુ જેથી એસીમાંથી સતત પાણી વહેવાને કારણે મુસાફરોના સામાન પલળ્યા હતા.આથી રોષે ભરાયેલા મુસાફરોએ હોબાળો કરીને અન્ય ટ્રેનની માંગણી કરી. બે કલાકથી સ્ટેશન પર ટ્રેન રોકીને અન્ય ટ્રેનની માંગ કરી હતી.પેસેન્જરે ટ્રેન રોકીને હોબાળો મચાવ્યો હતો. એસીમાંથી પાણી ટપકતાં મુસાફરો રોષે ભરાયા હતા.
2 કલાક સુધી ટ્રેન રોકી રાખી
ટ્રેનમાં જાણે વરસાદી પાણી આવી ગય હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પેસેન્જરની સીટ ઉપર જ એસીમાંથી પાણી સતત ટપકી રહ્યું હતું, આખા ટ્રેનના ડબ્બો પાણી પાણી થયો હતો. આવી સ્થિતિમાં ઉભુ રહેવુ પણ ન ગમે તેવામાં પેસેન્જરે સામાન તો મુકવો જ ક્યાં ? ત્યારે આવી ગંભીર સમસ્યાને લઇને પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો.