સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાયને મુખ્યધારામાં લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સરકારે આ સમુદાય માટે એક બિલ પાસ કરાવ્યું છે, સરકારનું માનવું છે કે આ બિલ આ વર્ગ વિરુદ્ધ ભેદભાવ અને દુર્વ્યવહાર ઓછો કરવામાં મદદ થશે અને તેમને મુખ્યધારામાં લાવી શકાશે.
ટ્રાન્સજેન્ડર સમુદાય માટે બિલ પસાર
શિક્ષામાં સુવિધા અને સ્વાસ્થ્ય સારવાર જેવી સેવાઓમાં ફાયદો
બહિષ્કાર અને ભેદભાવ સામે રક્ષણ આપતું બિલ
લોકસભામાં પહેલાં જ પસાર થયું છે બિલ
સંસદનાં ઉપલા સદનમાં ટ્રાન્સજેન્ડરનાં અધિકારોનું રક્ષણ સંબંધિત એક બિલ પસાર કરવામાં આવ્યું. જોકે પહેલાં આ બિલને સેલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગ કરવામાં આવી હતી જે ફગાવી દેવામાં આવ્યા બાદ આ બિલ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો. લોકસભામાં આ બિલ 5 ઓગસ્ટનાં રોજ પસાર કરવામાં આવ્યું હતું.
સામાજિક-આર્થિક સશક્તિકરણ માટે મદદરૂપ થશે બિલ
ટ્રાન્સજેન્ડર પર્સન્સ પ્રોટેક્શન ઓફ રાઈટ્સ બિલ, 2019 હેઠળ ત્રીજા જેન્ડરનાં લોકો માટે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ માટે પ્રયત્નો કરવાની વાત કરવામાં આવી છે. આ બિલ કેન્દ્રિય મંત્રી થાવર ચંદ ગેહલોતે 20 નવેમ્બરનાં રોજ રાજ્યસભામાં મુક્યું હતું.
આ બિલનાં ઉદ્દેશોમાં કહેવામાં આવ્યું છે કે ટ્રાન્સજેન્ડર સમુદાય ખુબ જ અલગ છે. આ સમુદાય હાંસિયામાં ધકેલાઈ ગયું છે. ટ્રાન્સજેન્ડર સ્ત્રી-પુરુષમાં એડજસ્ટ ન થતા હોવાથી આ ભોગવવું પડે છે. આ સમુદાયનો મોટે સભ્ય સમાજના લોકો બહિષ્કાર કરે છે. આ સમુદાય સાથે ભેદભાવ, શિક્ષામાં સુવિધાની કમી, બેરોજગારી અને સારવાર માટે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.