કાશ્મીરમાં દરેક રીતે નાકામ રહેનાર પાકિસ્તાને હવે ભારતને ફસાવવા તુર્કી સાથે મળીને યુક્તિ રચી
પાકિસ્તાને તુર્કી સાથે મળીને ચાલી ચાલ
અમિત શાહ-એમએમ નરવણેથી ધરપકડની માગ
કાશ્મીરના કથિત યુદ્ધપરાધ માટે ધરપકડની માગ
પાકિસ્તાન ક્યારેય પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવતુ. ભારત વિરુદ્ધ હંમેશા કંઇકને કંઇક કાંકરીચાળો કરતુ આવ્યુ છે ત્યારે ફરી એકવાર પાકિસ્તાને તુર્કી સાથે મળીને ભારતને ફસાવવા એક ચાલ ચાલી છે. તુર્કીથી જોડાયેલ એક બ્રિટીશ લૉ ફર્મે કાશ્મીરના કથિત યુદ્ધપરાધ માટે ભારતીય ગૃહમંત્રી અમિત શાહ અને સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેની ધરપકડ કરવા માગ કરી છે.
અમિત શાહની ધરપકડ કરવા માગ
બ્રિટનની રાજધાની લંડનમાં તુર્કી સાથે જોડાયેલી એક લો ફર્મ (સ્ટોક વ્હાઇટ) એ કાશ્મીરમાં કથિત યુદ્ધ અપરાધો માટે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ અને આર્મી ચીફ જનરલ એમએમ નરવણેની ધરપકડ કરવાની માંગ કરી છે. એટલું જ નહીં, તેઓએ કાશ્મીરમાં કથિત રીતે રહેતા 2,000 લોકોના નિવેદનો ધરાવતો રિપોર્ટ પણ લંડન પોલીસને સુપરત કર્યો છે. જે દાવો કરે છે કે આ કાશ્મીરમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા 'યુદ્ધ અપરાધો' અને 'હિંસા'ના પુરાવા છે.
ભારતીય અધિકારીઓ શું કહે છે
ભારતીય અધિકારીઓનું માનવું છે કે આ પાકિસ્તાન સમર્થિત પ્રચાર છે. એક ભારતીય સૂત્રએ કહ્યું છે કે આ લૉ ફર્મ તુર્કીના અધિકારીઓ સાથે જોડાયેલી છે અને પાકિસ્તાન વતી કામ કરી રહી છે.
ભારતીય અધિકારીએ કહ્યુ કે બ્રિટનની કોઇ સત્તાએ ભારતીય ઉચ્ચાયોગનો સંપર્ક કર્યો નથી. આ રિપોર્ટનો જવાબઆપવો મૂર્ખામી ભર્યો છે. આ
રિપોર્ટમાં કથિત નરસંહાર અને માનવાધિકાર ઉલ્લંઘનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ પાકિસ્તાન દ્વારા ઉત્તેજન આપવામાં આવતા સીમાપાર આતંકવાદ અંગે સંપૂર્ણપણે મૌન છે. આ અરજી દાખલ કરનાર કાયદાકીય પેઢી સ્ટોક વ્હાઇટ ઇન્ટરનેશનલની ઇસ્તંબુલ અને લંડનમાં ઓફિસ છે. આ લો ફર્મ ઇસ્લામિક કાયદાઓમાં નિષ્ણાત છે. તેના તુર્કી સાથે સારા સંપર્કો છે.
લૉ ફર્મનો શું છે દાવો
આ લૉ ફર્મે દાવો કર્યો છે કે તેઓએ કાયદામાં રહીને પોતાની એક તપાસ યુનિટ છે જે જનહિતમાં જોડાયેલ પ્રશ્નો અંગે તપાસ કરે છે. લૉ ફર્મે એક નિવેદનમાં કહ્યું કે તેણે મેટ્રોપોલિટન પોલીસના વોર ક્રાઈમ યુનિટને કાશ્મીરમાં ઈન્ડિયા વોર ક્રાઈમ્સનો રિપોર્ટ સુપરત કર્યો છે. અમે કાશ્મીરમાં ગુનાઓ માટે ભારતના ગૃહમંત્રી અને આર્મી ચીફની ધરપકડની માંગણી કરી છે. ગયા વર્ષે, આ જ લૉ ફર્મે યમનમાં યુદ્ધ અપરાધ કરવા બદલ UAE અને સાઉદી અરેબિયા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
બ્રિટન પાસે યુદ્ધ અપરાધોની તપાસ માટે વૈશ્વિક અધિકારક્ષેત્ર છે
પાકિસ્તાન તુર્કી સાથે સતત મિત્રતા વધારી રહ્યું છે. કારણ કે એર્દોગનના નેતૃત્વમાં તુર્કી હાલમાં આ ક્ષેત્રમાં પોતાને નવો ખલીફા બનાવવા માંગે છે અને આમાં પાકિસ્તાનની મદદ લઈ રહ્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન કાશ્મીર પર પાકિસ્તાન વતી વારંવાર બોલી રહ્યા છે, જ્યારે ભારત પણ સાયપ્રસના મુદ્દે તુર્કીનું સમર્થન કરતું નથી. આ લૉ ફર્મેજ તુર્કીના લોકો માટે અંકારા કરાર કર્યો હતો, જેના કારણે હજારો તુર્કી નાગરિકો હવે બ્રિટનમાં રહે છે. બ્રિટન પાસે 1957ના જીનીવા એક્ટ હેઠળ યુદ્ધ અપરાધોની તપાસ કરવાનો વૈશ્વિક અધિકારક્ષેત્ર છે. જેનો તુર્કી અને પાકિસ્તાન ફાયદો ઉઠાવવા માંગે છે.