પાકિસ્તાને કહ્યું કે એની પાસે વિશ્વસનીય જાણકારી છે કે ભારત આ મહિનામાં ફરીથી એક વખત એની પર હુમલો કરવાનું છે. એક ન્યૂઝ એજન્સી અનુસાર પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ મુલ્તાનમાં પત્રકારોને કહ્યું, અમારી પાસે વિશ્વવસનીય જાણકારી છે કે ભારત પાકિસ્તાન પર નવો હુમલો કરવાની રણનીતિ બનાવી રહ્યું છે. અમારી જાણકારી પ્રમાણે 16 થી 20 એપ્રિલની વચ્ચે આ થઇ શકે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ એવું પણ કહ્યું કે યૂનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના પાંચ સ્થાયી સભ્યોથી પાકિસ્તાન પોતાની ચિંતા વ્યક્ત કરી ચુક્યું છે. ભારતના હુમલાના વાત કરતા કુરૈશીએ કોઇ પુરાવાનો ઉલ્લેખ કર્યો નથી.
શાહ મહેમૂદ કુરૈશીએ એવું જણાવ્યું નથી તે કેવી રીતે એમને અટેકના ટાઇમિંગની લઇને પણ સટીક જાણકારી પ્રાપ્ત થઇ છે. જો કે એમને કહ્યું કે પીએમ ઇમરાન ખાનને આ જાણકારી દેશની સાથે શેર કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. પાકિસ્તાનના આ દાવા પર અત્યાર સુધી ભારત તરફથી કોઇ પ્રતિક્રિયા મળી નથી.
જણાવી દઇએ કે કાશ્મીરના પુલવામાં કારથી કરવામાં આવેલા સ્યુસાઇડ બોમ્બ બ્લાસ્ટમાં 14 ફેબ્રુઆરીએ 40 સીઆરપીએફના જવાન શહીદ થઇ ગયા હતા. આ હુમલો પાકિસ્તાન સ્થિતિ આંતકી સંગઠને કર્યો હતો. ત્યારબાદ 27 ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી.
ખૈબર પખ્તૂનખ્વાહમાં સ્થિત બાલાકોટમાં આતંકી કેમ્પ ચલાવવામાં આવી રહ્યો હતો. ભારતે એરસ્ટ્રાઇકથી આતંકીઓના અડ્ડાનો