પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલક ડોલક છે. ગરબી અને બેરોજગારીના આંકાડ દીન પ્રતિદિન વધી રહ્યા છે. તો આતંકવાદ ચરમસીમાએ છે. તેમ છતાં પાકિસ્તાનનીઓ અને ખાસ કરીને તેની સેના માટે એક જ મુદ્દો છે. તે છે કશ્મીર. ભારતના એક પૂર્વ ગુપ્તચર એજન્સીના અધિકારીએ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાનને ચારે બાજુથી નુકસાન પહોંચાડી રહ્યું છે.
પૂર્વ અધિકારીએ કહ્યું કે કશ્મીર પ્રત્યે પાકિસ્તાનના ગાંડપણને કારણે જ ત્યાં સેના સુપ્રીમ પાવર બની ગઈ છે અને અનેક આતંકી સંગઠનોનો જન્મ થયો છે. તેના કારણે પાકિસ્તાનનું લોકતંત્ર સંકટમાં આવી ગયું છે. રૉના સ્પેશિયલ સેક્રેટરી જ્યો.કે.સિન્હાએ ઈન્ડિયન ડિફેન્સ રિવ્યુંમાં લખ્યું છે કે મોહમંદ અલી જિન્નાનું ટૂંક સમયમાં મોત અને પ્રધાનમંત્રી લિયાકત અલી ખાનની હત્યા બાદ સેના સુપ્રીમ બનવા લાગી.
પાકિસ્તાનના લોકતંત્ર માટે આ બન્ને વ્યક્તિઓએ સારુ કામ કર્યું હતું પરંતુ ટૂંક સમયમાં જ પાકિસ્તાન આર્મી મધ્યસ્થ થઈ ગઈ અને ધીરે ધીરે કશ્મીર મુદ્દો રાષ્ટ્રીય ઝનુન બની ગયો.લપાકિસ્તાનમાં કશ્મીર મિશનને કારણે જ સેના સૌથી પ્રભાવશાળી છે.
તો પાકિસ્તાની સેનામાં પાકિસ્તાન અધિકૃત પંજાબના મુસ્લિમોનો જ દબદબો છે. જ્યારે દેશના અન્ય સમુદાયોની ભાગીદારી બહૂ ઓછી છે. સિન્હાએ લખ્યું છે કે કોઈ બલૂચી અથવા તો સિંધી ત્યાં સેનાનો જનરલ નથી બનતો તો પશ્તૂન આર્મી ઓફિસરોની સંખ્યા પણ ખુબ ઓછી છે.
પાકિસ્તાનના બે ભાગ થયા તેમાં પણ સેનામાં પંજાબ સિવાયના મુસ્લિમોની અવગણના સૌથી વધુ જવાબદાર છે. પાકિસ્તાનમાંથી જ છૂટુ પડેલુ બાંગ્લાદેશ આજે પાકિસ્તાન કરતા ગણું આગળ છે. કારણ કે ત્યાં લોકતંત્ર છે. ચૂંટાયેલી સરકારના આદેશ પર જ ત્યાં સેના ચાલે છે. જ્યારે પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકાર સેનાના આદેશ પર ચાલે છે. સિન્હાએ કહ્યું કે જો પાકિસ્તાન તેનો કશ્મીર મુદ્દો નહીં છોડે પાકિસ્તાનનું ભવિષ્ય અનિશ્ચિત છે પાકિસ્તાનને બરબાદ થતાં પણ વાર નહીં લાગે.