કોરોનાનો કહેર સમગ્ર દુનિયામાં ચાલી રહ્યો છે. પાકિસ્તાનમાં પણ આનો કહેર ચાલુ છે. આ વચ્ચે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી માસ્ક પહેરીને વિવાદમાં આવી ગયા છે. તેની ભારે આલોચના કરવામાં આવી. ત્યાર બાદ તેમણે ખુલાસો પણ કરવો પડ્યો.
છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રપતિ અલ્વી માસ્ક પહેરા નજરે પડ્યા. કેટલીક મીટિંગ્સ દરમિયાન તેઓ એન-95 માસ્ક લગાવતા દેખાયા. આ માસ્કનો ઉપયોગ સ્વાસ્થ્યકર્મચારીઓ પણ કરે છે. અને આ માસ્કને લઇને પાકિસ્તાનમાં પહેલા વિવાદ શરૂ થઇ ચૂક્યો છે ત્યારે આ વિવાદનો વિષય બની ગયો. રાષ્ટ્રપતિ અલ્વીની આલોચના પણ થઇ.
માસ્ક લગાવેલ આરિફ અલ્વીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારબાદ પાકિસ્તાન મેડિકલ એસોસિએશને નિવેદન આપ્યું છે કે દેશના સ્વાસ્થ્ય કર્મચારી માસ્ક અને પીપીઈની કીટની અછતથી જજૂમી રહ્યા છે જ્યારે કેટલાક રાજનેતા અને અધિકારી એન-95 માસ્ક પહેરતા જોવા મળી રહ્યા છે.
આરિફ અલ્વીએ સોશિયલ મીડિયા પર નારાજગીનો શિકાર એટલા માટે પણ થવું પડ્યું કારણ કે પાકિસ્તાન સરકારે આદેશ આપ્યા હતા કે માસ્ક માત્ર તે મેડિકલ સ્ટાફ માટે છે જે કોરોના વૉર્ડ્સમાં જાય છે અને દર્દીઓની દેખભાળ કરે છે.
ડૉનના એક રિપોર્ટ અનુસાર, આ સમગ્ર વિવાદ બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ સ્પષ્ટતા કરી. ગુરૂવારે આરિફ અલ્વીએ ટ્વિટર પર લખ્યું- એક ડૉક્ટર હોવાના નાતે મને માસ્કના ખોટા ઉપયોગ અને બરબાદી વિશે સારી રીતે માહિતી છે. હું ચીનમાં મળેલા એન-95 માસ્કનો ફરી વખત ઉપયોગ કરી રહ્યો હતો.
અલ્વીએ વધુમાં લખ્યું કે વિંગ કમાન્ડર નૌમાન અકરમના ઘર પર હતા. ત્યાં તમે મને રેગુલર પબ્લિક માસ્ક લગાવતા જોઇ શકાય છે. મારા ખ્યાલથી આ સ્પષ્ટતા પર્યાપ્ત છે.
પાકિસ્તાનમાં જ્યા એક તરફ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તો કેટલાક શહેરોમાં પીપીઈ કિટની અછતનો મુદ્દો છવાયેલો છે. એટલું જ નહીં કેટલીક જગ્યાઓ પર પોલીસ અને ડૉક્ટર વચ્ચે ઘર્ષણ પણ સામે આવ્યું. કિટની અછત મુદ્દે વિરોધ કરી રહેલા ડૉક્ટરોની ધરપકડ પણ કરવામાં આવી છે.
ડૉન સમાચારના હાલના આંકડા અનુસાર, પાકિસ્તાનમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 4890 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 78 લોકોના મોત થઇ ચૂક્યા છે.