ખુરશી બચાવવા સતત પ્રયત્ન કરી રહેલાં ઇમરાન ખાનને સાથી પક્ષ MQM-P દ્વારા મોટો ઝટકો લાગતા સમર્થક સાંસદોની સંખ્યા ઘટીને 164 થઈ ગઈ છે.
ઈમરાન ખાનને સાથી પક્ષ MQMP દ્વારા ઝટકો
અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં જ MQMPએ ઈમરાનનો પક્ષ છોડી દીધો
ઈમરાન ખાનના સમર્થક સાંસદોની સંખ્યા ઘટીને 164 થઈ ગઈ
પાકિસ્તાનમાં ખુરશી બચાવવા માટે ખોટા દાવા કરી રહેલા વડાપ્રધાન ઈમરાન ખાનને સાથી પક્ષ MQM-P દ્વારા મોટો ઝટકો લાગ્યો છે. સંયુક્ત વિપક્ષ તરફથી લાવવામાં આવેલાં અવિશ્વાસ પ્રસ્તાવની બરાબર પહેલાં MQMP એ ઈમરાન ખાન વિરુદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી છે. MQM-Pનો સાથ છોડી દેતા ઈમરાનના સમર્થક સાંસદોની સંખ્યા ઘટીને 164 થઈ ગઈ છે. જ્યારે વિરોધ પક્ષોની છાવણીમાં હવે 177 સાંસદો છે. MQM-Pનાં કુલ 7 સાંસદો છે. ત્યારે હવે સ્થિતિ એવી સર્જાઇ છે કે, હવે વિપક્ષને ઈમરાનની પાર્ટીના બળવાખોર સાંસદોની પણ જરૂર નથી.
ઈમરાન ખાને પોતાનો છેલ્લો ખેલ રમી લીધો
આ કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ MQM-P નેતા ફૈઝલ સબજવરીએ ટ્વિટ કર્યું હતું કે, સંયુક્ત વિપક્ષ અને મુત્તહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન વચ્ચે કરારને અંતિમ સ્વરૂપ આપી દેવાયું છે. તેઓએ કહ્યું કે, આ કરારની વિગતો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારીએ પણ ટ્વિટ કરીને MQM-P સાથેના કરારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં આ કરારની વિગતો જાહેર કરવામાં આવશે.
કલમ 63-A પાછળના ઈરાદાને ધ્યાનમાં રાખવો જરૂરી
પીટીઆઈએ કહ્યું કે, "પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સંસદીય પક્ષના તમામ સભ્યો ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહેશે." મતદાન માટે રાષ્ટ્રીય એજન્ડા પર પ્રસ્તાવ લાવવામાં આવશે તે તારીખે તેઓ નેશનલ એસેમ્બલીની બેઠકમાં હાજરી નહીં આપે. હેન્ડઆઉટમાં કહેવામાં આવ્યું કે, ગૃહમાં વડાપ્રધાન વિરુદ્ધ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીટીઆઈ તરફથી માત્ર નામાંકિત સંસદીય સભ્યો જ બોલશે.
ઈમરાન ખાનની પાર્ટીએ કહ્યું કે, "તમામ સભ્યોએ આ સૂચનાઓનું પાલન કરવું અને પાકિસ્તાનના બંધારણ 1973ની કલમ 63-Aની જોગવાઈ પાછળના ઈરાદાને ધ્યાનમાં રાખવો જરૂરી છે." પીટીઆઈના વડાએ તમામ સાંસદોને ચેતવણી આપી હતી કે, કોઈ પણ સભ્ય કોઇ પણ જાતના નિર્દેશનું ઉલ્લંઘન નહીં કરે અથવા તો કોઇ પણ અન્ય સંસદીય દળ/સમૂહને અવિશ્વાસ મત દ્વારા સંબંધિત કોઇ પણ પક્ષનો વિસ્તાર નહીં કરે. કહેવામાં આવ્યું છે કે, આ નિર્દેશોના કોઈ પણ ઉલ્લંઘનને 'કલમ 63-Aનાં સંદર્ભમાં સ્પષ્ટ પક્ષપલટા' તરીકે ગણવામાં આવશે.