પાકિસ્તાનમાં શુક્રવારના રોજ બે અલગ-અલગ સ્થળો પર યોજાયેલ ચૂંટણી રેલીમાં અચાનક બોંબ વિષ્ફોટ થતા આશરે 133 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 200થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા હતા.
આપને જણાવી દઇએ કે પહેલો વિષ્ફોટ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં થયો. આ બોંબ ધડાકામાં કટ્ટરપંથી ઇસ્લામી પાર્ટીના પીઢનેતાનો ત્વરિત બચાવ થયો હતો પરંતુ અન્ય 5 લોકોના મોત થયા હતા અને 37 જેટલા લોકો ઘાયલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે ઉત્તરી વજીરિરસ્તાન કબાઇલી જિલ્લાથી નજીક આવેલ બન્નુ જિલ્લામાં આ વિસ્ફોટ થયેલ જેમાં જમીયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દુરાની ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં મળેલ જાણકારી અનુસાર આ બોંબ એક મોટરસાઇકલમાં લગાવવામાં આવ્યો હતો.
આપને જણાવી દઇએ કે આ હુમલા બાદ બલૂચિસ્તાનના દારેનગઢ વિસ્તારમાં બલૂચિસ્તાન અવામી પાર્ટી(BAP)ના ઉમેદવાર નવાબજાદા સિયાજ રાયસૈનીની ચૂંટણી પ્રચાર રેલીમાં બીજો વિસ્ફોટ થયો હતો. આ આત્મઘાતી હુમલામાં 70 લોકોના મોત થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ હુમલો પાકિસ્તાના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી જ્યારે લંડનથી લાહોર પરત ફરી રહ્યા હતા ત્યારે થતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોઁધીને તપાસ હાથ ધરી છે. અચાનક થયેલ આ બોંબ વિસ્ફોટને પગલે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.