ભારતીય વાયુસેનામાં રાફેલ ફાઈટર જેટનો સમાવેશ થાય બાદ પાકિસ્તાનની ચિંતામાં વધારો થયો છે. પાકિસ્તાની આર્મીએ ગુરુવારે ફરી એકવાર ભારતના સૈન્ય ખર્ચને લઈને ચિંતા વ્યક્ત કરતા રાફેલનો ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાનીસેનાના પ્રમુખ જનરલ બાબર ઈફ્તિકારે કહ્યું કે પાકિસ્તાન ભારતના સૈન્ય ખર્ચ અને રક્ષા બજેટમાં વધારાને લઈને ચિંતામાં છે. ભલે ભારતે ફ્રાંસમાંથી 5 રાફેલ જેટ ખરીદ્યા હોય પણ અમારી સેના હુમલાનો જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે.
અમારી સેના હુમલાનો જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે
જૂનાગઢને પોતાનું ગણવતા નક્શો અંગે કહ્યું નક્શો આપણા ઈરાદાને વ્યક્ત કરે છે
5 રાફેલ ખરીદે કે 500 અમને કોઈ ફર્ક નથી પડતો.
પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ગુરુવારે આંતરિક અને બાહ્ય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાને લઈને એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આજે પાકિસ્તાન પોતાનો સ્વતંત્ર્યતા દિવસ મનાવી રહ્યું છે. ભારતની રાફેલ ખરીદી પર સેના પ્રવક્તાએ કહ્યું કે ભારતનો સૈન્ય ખર્ચ દુનિયામાં સૌથી વધારે છે અને તે હથિયારોની હોડમાં છે.
ઈફ્તિકારે કહ્યું કે જે રીતે રાફેલને ફાંસથી ભારત પહોંચાડવા રક્ષા કવચ બનાવવામાં આવ્યું તેનાથી અસુરક્ષાની ખબર પડે છે. જો કે તેઓ 5 રાફેલ ખરીદે કે 500 અમને કોઈ ફર્ક નથી પડતો. અમારી પુરી તૈયારી છે અને અમને અમારી ક્ષમતા પર કોઈ શંકા નથી. અમે આ વાત પહેલા પણ સાબિત કરી ચૂક્યા છીએ અને રાફેલના આવવાથી આમાં કોઈ ફર્ક નથી પડવાનો. પરંતુ તેમના રક્ષા ખર્ચ અને આપણા રક્ષા બજેટનો ફર્ક વિસ્તારમાં પારંપરિક સંતુલનને પ્રભાવિત કરી રહ્યો છે. જ્યારે આવું બને છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયે ધ્યાન આપવું જોઈએ.
સેના પ્રવક્તાએ સૈન્ય બજેટ ઓછુ હોવાની ફરિયાદ કરતા કહ્યું કે કેટલાક લોકોને પાકનું રક્ષા બજેટ વધારે લાગે છે. જો કે છેલ્લા 10 વર્ષમાં તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મોંઘવારીને કારણે આવું થઈ રહ્યું છે. પણ આનો મતલબ એ નથી કે અમારી તૈયારીમાં કોઈ ફર્ક પડ્યો હોય. ઓછા સંશાધનોમાં પણ અમે દુશ્મનોનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયાર છીએ.
તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરની લડાઈ વૈશ્વિક ફલક પર ખૂબ મહત્વની છે. જે એક દિવસ ચોક્કસથી સફળ થશે. પાકિસ્તાને થોડા દિવસ પહેલા પોતાના નક્શામાં જુનાગઢને પોતાનું ગણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે નક્શો આપણા દાવાને સ્વીકાર્યતા આપે છે. આપણા ઈરાદાને વ્યક્ત કરે છે.