પાકિસ્તાને ગુરુવારે કુલભૂષણ જાધવના મામલામાં ભારતની સાથે કોઇપણ પ્રકારની સમજુતીથી ઇનકાર કરી દીધો. પાકિસ્તાનની તરફથી કહેવામાં આવ્યું છે કે આઇસીજેના નિર્ણયને લાગૂ કરવાને લઇને બંધારણ અનુસાર જ કોઇ પગલુ ઉઠાવવામાં આવશે.
પાક.નો કુલભૂષણ જાધવ મામલે ભારત સાથે સમજુતીથી ઇનકાર
પાક. એ કહ્યું, કુલભૂષણ મામલે બંધારણ અનુસાર જ પગલુ ઉઠાવાશે
પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટે એપ્રિલ 2017માં જાધવને મોતની સજા સંભળાવી હતી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફેસલની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે એક દિવસ પહેલા જ પાકિસ્તાનની સેનાએ કહ્યું હતું કે સરકાર જાધવના મામલાની સમીક્ષા માટે વિભિન્ન કાનૂની વિકલ્પો ધ્યાને લઇ રહી છે. ભારતીય નૌસેનાના સેવા નિવૃત અધિકારી જાધવ (49)ને પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટે બંધ રૂમમાં થયેલી સુનાવણી બાદ એપ્રિલ 2017માં જાસૂસી અને આંતકવાદના આરોપોમાં મોતની સજા સંભળાવી હતી.
આ મામલામાં ભારતે કહેતુ રહ્યું છે કે, જાધવનું ઇરાનનથી અપહરણ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કોર્ટે (ICJ)એ 17 જુલાઇએ નિર્ણય સંભળાવ્યો હતો કે પાકિસ્તાન જાધવને સંભળાવવામાં આવેલી મોતની સજાની સમીક્ષા કરે. તેને ભારતની મોટી જીતના સ્વરૂપે જોવામાં આવ્યું હતું.