પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ શુક્રવારે કહ્યુ કે, ''કાશ્મીર અમારી દુખતી રગ છે. અમે કાશ્મીરી ભાઇ બહેનો માટે છેલ્લી ગોળી અને સૈનિક સુધી લડતા રહીશું.'' આ વાત બાજવાએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં એક કાર્યક્રમ દરમિયાન કહી હતી.
પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવા અનુસાર, ''પાકિસ્તાનમાં આંતકવાદના મુદ્દા પર તેની જવાબદારી વધુ સારી રીતે નિભાવી છે. હવે સમય આવી ગયો છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય તેના ભાગનો હક અદા કરે. અમારું અંતિમ લક્ષ્ય શાંત અને મજબૂત પાકિસ્તાન બનાવવાનું છે. અમે ધીમે ધીમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમારી સેના આતંકવાદ અને લડાઇના ખાતમા માટે જીવ આપવામાં પણ ખચકાટ નહિ કરે.''
'અમારા સૈનિક દિવાલની જેમ ઉભા છે'
પાક સેનાના પ્રમુખે કહ્યુ કે, આતંકવાદ વિરુદ્ઘ લડાઇમાં અમારા સૈનિક દિવાલની જેમ ઉભા છે. અમે દુશ્મનની કોઇ પણ યોજના નેસ્તનાબૂદ કરી શકીએ છીએ. આવતીકાલ માટે તેઓ કોઇ પણ બલિદાન આપવા માટે તૈયાર છે. દેશ આ શહિદો-ગાજિઓની કુરબાની યાદ રાખશે.
'કાશ્મીર જનતા પર જુલ્મ કરે છે ભારતીય સેના'
કાશ્મીરની સ્થિતિને ચિંતાજનક ગણાવતા બાજવાએ કહ્યુ કે, કાશ્મીરી જનતા ભારતની હિંદૂવાદી સરકાર અને ત્યાંની સેનાના જુલ્મનો શિકાર બની રહી છે. ઘાટીમાં ભારત સમર્થિત આતંકવાદ છે. કાશ્મીર પાકિસ્તાન પુરુ થવાનો અધુરો એજન્ડા છે અને એ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી સંયુક્ત રાષ્ટ્ર (યૂનાઇટેડ નેશન) સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને કાશ્મીરી લોકોની આકાંક્ષાઓના અનુરૂપ કોઇ સમાધાન ન થઇ જાય.