જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષાબળે ફરી એક વાર ઓપરેશન ઓલઆઉટ હાથ ધર્યુ છે. છેલ્લા 48 કલાકમાં સુરક્ષાબળે 10 આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. પુલાવામા અને શોપોરમાં ગઈ કાલે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળે ચાર આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે.
પુલવામા જિલ્લાના અવંતપોરામાં ત્રણ આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. આ ત્રણેય આતંકીઓ હિજબુલ મુઝાહિદ્દીન સાથે સંકળાયેલા હતા. સુરક્ષાબળની કાર્યવાહીમાં શોકત અહમદ ડાર, ઈરફાન અહમદ અને મુઝ્ઝફર અહમદને ઠાર મારવામાં આવ્યા છે.
#UPDATE J&K Police on today's Sopore encounter: The killed terrorist has been identified as Waseem Ahmad Naikoo of Barsoo, Awantipora. He was affiliated with the proscribed terror outfit Jaish-e-Mohammed. Case registered, further investigation underway. https://t.co/3cuc8fRZ8c
ગુરુવારે પણ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળે જૈશ એ મોહમ્મદના સ્થાનિક કમાન્ડર સહિત છ આતંકીઓને ઠાર માર્યા છે. તો ગુપ્તચર વિભાગના અહેવાલમાં એવું પણ સામે આવ્યું કે, આતંકીઓ શ્રીનગર અને અવંતીપોરા એરબેઝ પર હુમલો કરી શકે છે. જે બાદ સુરક્ષામાં પણ વધારો કરી દેવાયો છે. આ સપ્તાહમાં જ સંજુવાન સૈન્ય બેઝ પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિ પણ ઝડપાયો છે.
આપને જણાવી દઇએ કે, જમ્મુ કાશ્મીરના કેટલાક હિસ્સામાં ફરીએકવાર આતંકી હુમલાનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલ ઇનપુટ અનુસાર આતંકીઓ છેલ્લા કેટલાક સમયથી સક્રીય થયા છે. આ બાબતને ધ્યાને લઇને જ ભારતીય સેના દ્વારા સમગ્ર ઘાટીમાં સઘન બંદોબસ્ત ગોઠવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.