મગફળીની લાભ પાંચમથી ખરીદી શરૂ કરવામાં આવશે, જ્યારે બાજરી, મકાઈ, ડાંગરનું પણ કાલથી કરાવી શકાશે રજિસ્ટ્રેશન
બાજરી, મકાઈ, ડાંગરની ટેકાના ભાવે શરૂ થશે ખરીદી
1 ઓક્ટોબરથી ડાંગર, મકાઈ, બાજરીનું રજિસ્ટ્રેશન શરૂ થશે
બાજરી,મકાઈ, ડાંગરનું ખેડૂતોએ 15 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરી શકશે
1 ઓકટોબર એટલે કે આવતીકાલ રાજ્યમાં મગફળી માટે રજિસ્ટ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. આ સાથે જ બાજરી, મકાઈ, ડાંગરની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થવા જઈ રહી છે. જે માટે 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર ઓનલાઇન રજિસ્ટ્રેશન ખેડૂતો કરી શકશે. આ માટેના ઓર્ડર તમામ લાગતાં વળગતા ડીપાર્ટમેન્ટને આપી દેવામાં આવ્યા છે. મગફળીની લાભ પાંચમથી ખરીદી શરૂ કરાશે તેવો પણ ખુલાસો સરકાર તરફથી કરવામાં આવ્યો છે.
VCE કર્મચારી કાલથી વિરોધ પર ઉતરશે
રજિસ્ટ્રેશન પ્રક્રિયા પહેલા જ સરકાર માટે મુશ્કેલી ઉભી થાય તેવું લાગી રહ્યું છે. આવતીકાલથી વિલેજ કમ્પ્યુટર સાહસિકો હડતાળ પર ઉતરશે. 14 હજાર રજિસ્ટ્રેશન કરતા વિલેજ કમ્પ્યુટર સાહસિકો હડતાળ પર ઉતરવાના છે. જ્યારે 5 ઓક્ટોબરે VCE કર્મીઓ કાળી પટ્ટી બાંધી કામગીરીમાં જોડાશે. VCE કર્મીઓને સરકારી ધારાધોરણ મુજબ પગારની માગ છે. અને પડતર પ્રશ્નોના નિરાકરણની પણ માગ છે. 2006થી VC તરીકે કામ કરતા કર્મીઓના શોષણની પણ વાત કરાઇ છે. પોતાની માગોને લઇ 13 ઓક્ટોબરે VCE કર્મીઓ સત્યાગ્રહ છાવણીએ એકઠા થશે.
રવી પાકોની કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે
આવતીકાલેથી ટેકા ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ
ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે
મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે
મગફળી માટે 1 થી 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે
લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે
બાજરી, જુવાર અને મકાઇની ટેકાના ભાવે ખરીદી કરાશે
1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ચાલશે રજિસ્ટ્રેકશન પ્રકિયા
16 ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી કરાશે
ખેતપેદાશના ટેકાના ભાવ બજારભાવ ન બની શકે?
વસ્તી વધી તેની સામે જમીનો ઘટી છે, ખેડૂતો ઘટ્યા છે અને તેના કારણે દેશે અનેક વસ્તુઓ બહારથી આયાત કરવી પડે છે. ખેડૂતનો દીકરો આજે ખેડૂત બનવા તૈયાર નથી. ખેડૂત દેવાના બોજ નીચે દબાયેલો જ રહે છે. આની પાછળનું કારણ શું? હજુ પણ એક ખેડૂતે લઘુતમ ટેકાના ભાવ પર આધાર રાખવો પડે છે. કેમ એવી કોઈ વ્યવસ્થા થતી નથી કે MSP અને MRP બન્ને એક સામાન હોય? એટલે કે ખેડૂતને ટેકાના ભાવ જેટલા જ ભાવ બજારમાં મળે. ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી તેની પાછળ સરકાર જવાબદાર છે કે પછી સ્વયં ખેડૂતો? તે વિચારવા જેવો પ્રશ્ન છે. ત્યારે કેટલાક સવાલો થઈ રહ્યા છે કે સરકારે જ કેમ ટેકાના ભાવે ખરીદી કરવી પડે છે?. ખેત પેદાશનાં બજારભાવનું સરકાર કેમ કરે છે નિયમન?
શું છે મામલો?
VCE કર્મી ઘણા સમયથી પડતર માગણીને લઈ કરી રહ્યા છે વિરોધ
પગાર વધારો VCE કર્મીઑની મુખ્ય માગણી
2006માં જેટલા રૂપિયા કમિશન પેટે મળતા હતા.
14 વર્ષ પછી પણ તેટલા જ રૂપિયા મળે છે.
મોંઘવારીમાં પ્રિન્ટિંગ, કાગળ સહિતનો ખર્ચ પોસાય તેમ નથી.
કાયમી કરવામાં અને સરકારી કર્મચારી જેટલા લાભો આપવામાં આવે તેવી માંગણી
ત્યારે રજિસ્ટ્રેશન કરતા વિલેજ કમ્પ્યુટર સાહસિકો હડતાળ કરશે