વિદેશી રાજદૂતોના પ્રવાસ વચ્ચે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી હુમલો થયો છે.
શ્રીનગરમાં આતંકવાદી હુમલો
સોનવરમાં કર્યું ફાયરિંગ, એક ગંભીર ઇજાગ્રસ્ત
વિદેશી રાજદૂતોના શ્રીનગરના પ્રવાસ વચ્ચે હુમલો
જમ્મુ કાશ્મીરના શ્રીનગરના સોનવર વિસ્તારમાં ફાયરિંગ થયું છે. આ હુમલો જ્યાં થયો છે, ત્યાંથી એક કિલોમીટર દૂર વિદેશી રાજદૂતો રોકાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, હુમલામાં ડલ ઝીલની નજીક હોટલનો એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે. મુસ્લિમ જાંબાજ ફોર્સે જમ્મુ કાશ્મીર હુમલાની જવાબદારી લીધી છે. ત્યારે, હવે સેનાએ મોર્ચો સંભાળી લીધો છે, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
Jammu & Kashmir: Youth critically injured after terrorists fired at him in Sonwar area of Srinagar. The injured person has been shifted to hospital
જણાવી દઇએ કે જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત યૂરોપીય સંઘનું એક પ્રતિનિધિ જૂથ પ્રવાસે પહોંચ્યું છે. યૂરોપ અને આફ્રિકાના અંદાજિત 20 રાજદૂતોની ટીમ બુધવારે અહીં પહોંચી છે. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન યૂરોપીય સંઘનું આ જૂથ 5 ઓગસ્ટ 2019એ કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરના વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી રહ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, યૂરોપીય સંઘના ડેલીગેશન જમીની સ્તર પર લોકશાહીની સ્થિતિની સમિક્ષા લઇ રહ્યા છે. સાથે ડીડીસીના નવા નિમાયેલા સભ્યો, કેટલાક પ્રમુખ નાગરિકો અને તંત્રના સચિવોની સાથે બેઠક પણ કરશે. યૂરોપીય સંઘના આ પ્રવાસ પર રાજકારણ શરૂ થઇ ગયું છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહી છે.