જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહોની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવી છે ત્યારે આ વખતે કયો ગ્રહ રાશિ પરિવર્તન કરશે અને તેની કેવી અસર થશે તે જાણીએ
સૂર્યદેવ કરશે રાશિ પરિવર્તન
16 જુલાઇએ કર્ક રાશિમાં કરશે પ્રવેશ
દર મહિને સૂર્ય કરે છે રાશિ પરિવર્તન
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહની એક આગવી ઓળખ હોય છે. દરેક ગ્રહોની એક ખાસ લાક્ષણિકતા હોય છે. ત્યારે સૌને તેજ આપનારા સૂર્ય દેવની વાત કરીએ તો સૂર્ય દેવ પોતાની જેમ જ અન્ય જાતકોના જીવનમાં અજવાશ ફેલાવશે. કારણ કે સૂર્ય ભગવાન દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે. ત્યારે આ વખતે સૂર્યદેવ 16 જુલાઈ 2022ના રોજ રાશિ પરિવર્તન કરશે. તેઓ મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડશે. 16મી જુલાઈના રોજ સૂર્ય રાશિનું પરિવર્તન ત્રણ રાશિઓનું નસીબ ઉજ્જવળ કરી શકે છે. આ દરમિયાન સૂર્ય ભગવાનની આ રાશિઓ પર વિશેષ કૃપા રહેશે. જાણો કઈ રાશિ પર આખો મહિનો રહેશે સૂર્યની કૃપા
મેષ - કર્ક રાશિમાં સૂર્યના સંક્રમણને કારણે મેષ રાશિના લોકોને સકારાત્મક પરિણામ મળશે. આ સમય દરમિયાન તમને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. નોકરીની નવી તકો પ્રાપ્ત થશે. વેપારીઓ મોટા સોદાથી નફો કરી શકે છે. મેષ રાશિના લોકો માટે આ સમય ઘણો લાભદાયક રહેશે.
વૃષભ - કર્ક રાશિમાં સૂર્યનું સંક્રમણ વૃષભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવશે. નોકરી શોધી રહેલા લોકોને આવકમાં સારો વધારો થઈ શકે છે. નોકરી કરતા લોકોને તેમની જગ્યા બદલવાની તક મળી શકે છે. વેપારીઓના નફામાં વધારો થશે.
મિથુન - સૂર્યનું રાશિ પરિવર્તન મિથુન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ રાશિના લોકોને જુલાઈ મહિનામાં મોટો ફાયદો થઈ શકે છે. નોકરી વ્યવસાયિકોને પ્રમોશન સાથે આવકમાં વધારો થઈ શકે છે. ધન સંચયની તકો રહેશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. રોકાણ માટે આ સમય સાનુકૂળ રહેશે.