બીબીનગરના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના ડિરેક્ટર ડોક્ટર વિકાસ ભાટીયાએ જણાવ્યું કે ઓમિક્રોન ઘાતક નથી.
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના ડિરેક્ટર વિકાસ ભાટીયાનો દાવો
ઓમિક્રોન ઘાતક નથી, ભારત ત્રીજી લહેર માટે તૈયાર રહે
દુનિયાના કોઈ પણ દેશમાં ઓમિક્રોનને કારણે મોતની કોઈ ઘટના બની નથી
ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યાં છે અત્યાર સુધી 4 કેસ નોંધાઈ ચૂક્યા છે ત્યારે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના ડિરેક્ટર ડોક્ટર વિકાસ ભાટીયાએ રાહતના સમાચાર આવ્યાં છે. તેમનું કહેવું છે કે ઓમિક્રોન ઘાતક નથી પરંતુ ભારતે ત્રીજી લહેર માટે ભારતે રહેવું જોઈએ.
Hybrid immunity in Covid means a (combined) immunity acquired through both the infection and vaccination. When these two work together it’s called hybrid immunity: Executive Director All India Institute of Medical Sciences, Bibinagar, (near Hyderabad) Prof (Dr) Vikas Bhatia pic.twitter.com/xlGGNZtkeD
ઓમિક્રોનને કારણે કોઈનું મોત નહીં, હળવા પ્રકારની બીમારી હોઈ શકે
ડોક્ટર ભાટીયાએ જણાવ્યું કે આપણે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે અત્યાર સુધી દુનિયાના કોઈ પણ દેશમાં ઓમિક્રોનને કારણે મોતની કોઈ ઘટના બની નથી. આ એક હળવા પ્રકારની બીમારી હોઈ શકે. સંભવિત દક્ષિણ આફ્રિકાના દેશોમાં સંક્રમણ અને બીમારી પ્રગટ થવાની વચ્ચે થોડું અંતર છે અને જ્યારે ડેલ્ટા વાયરસ કરતા તે લાંબો હોય તો તેની ક્ષમતા વધારેમાં વધારે લોકોને સંક્રમિત કરવાની હોય છે.
ઓમિક્રૉન ખતરનાક હોવાના કોઈ પુરાવા નથી: સિંગાપુરનાં દાવાની વિશ્વમાં ચર્ચા
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન-સંબંધિત લક્ષણો અન્ય સ્વરૂપો કરતાં વધુ ખતરનાક છે, અથવા તેની સામે હાલની રસી અથવા સારવાર બિનઅસરકારક તેવા હાલ કોઈ પુરાવા નથી મળ્યાં. એક મિડીયા રિપોર્ટ અનુસાર સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઓમિક્રોનથી સંક્રમિત બે લોકો સિંગાપોરથી મલેશિયા અને ઓસ્ટ્રેલિયા ગયા હતા. સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ઓમિક્રોન અંગે વધુ માહિતી અને અભ્યાસની જરૂર છે અને આગામી સપ્તાહોમાં વૈશ્વિક સ્તરે વધુ કેસ આવવાની અપેક્ષા છે.
ઓમિક્રોન સંસ્કરણ ડેલ્ટા કરતા વધુ શક્તિશાળી હોઈ શકે છે, પરંતુ તેના લક્ષણો સામાન્ય છે
સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ઓમિક્રોન સંસ્કરણ ડેલ્ટા કરતા વધુ શક્તિશાળી હોઈ શકે છે, પરંતુ તેના લક્ષણો સામાન્ય છે. જો કે, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ઓમિક્રોનને સમજવામાં થોડા અઠવાડિયા લાગી શકે છે. જો આ પ્રકાર વધુ ખતરનાક છે, તો આગામી સમયમાં, બૂસ્ટર ડોઝ પર પણ વિચાર કરવો પડશે.