ઓમર અબ્દુલ્લાએ દક્ષિણ કાશ્મીર દામહાલ હાંજીપુરામાં એક જનસભા સંબોધિત કરતા કહ્યું કે મોદી વાજપેયીની વિરાસતને આગળ વધારવામાં નિષ્ફળ રહે. જમ્મુ-કાશ્મીરના લોકો એમને જમ્હૂરિયત, ઇન્સાનિયત અને કશ્મીરિયતના શબ્દોને પૂરા કરતા ના જોઇ શક્યા.
નવી દિલ્હી: નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ફરી એક વાર પાકિસ્તાન રાગ છેડ્યો છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, જમ્મૂ-કશ્મીરને પાકિસ્તાન કે બંદૂકથી વધુ ખતરો એવા લોકોથી કે જેઓ જમ્મૂ-કશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવા માગે છે.
અનંતનાગ સંસદીય ક્ષેત્રમાં કુંડ ઘાટીમાં એક રેલીને સંબોધન દરમિયાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, રાજ્ય જે પડકારથી પસાર થઈ રહ્યુ છે તે જોતા લાગે છે કે લોકસભામાં પોતાના નેતા ચૂંટતા પહેલા યોગ્ય નિર્ણય લેવો જોઈએ. જમ્મૂ-કશ્મીરને પાડોશી દેશ કે બંદૂકથી પણ વધુ ખતરો એવી શક્તિઓથી છે કે જેઓ રાજ્યના વિશેષ દરજ્જાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આર્ટિકલ 370 અને 35 એ દ્વારા જમ્મૂ-કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં રહેતા પણ અટલ બિહારી વાજપેયીની વિરાસતને આગળ ધપાવી શક્યા નહીં અને તેઓ નિષ્ફળ સાબિત થયા છે.
જમ્મૂ-કશ્મીરના લોકોએ મોદીને પોતાના વાયદા પૂરા કરતા નથી જોયા. તેઓ આપણા રાજ્યના લોકો સાથે પણ ન્યાય કરતા ક્યારેય નજરે પડ્યા નથી. તેમના શાસનમાં આપણા રાજ્યના લોકોને તકલીફ વેઠવી પડી જે ક્યારેય ઈતિહાસમાં થયુ નથી.