આરોપીને સાથે રાખી 4 વ્યક્તિની હત્યાને લઈને રિ-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું જેમાં ચોંકાવનારા ખુલાસા થયા
અમદાવાદના ઓઢવમાં સામૂહિક હત્યાકાંડનો મામલો
પોલીસે આરોપીને સાથે રાખીને રિ-કન્સ્ટ્રકશન કર્યું
આરોપી હત્યારાએ પત્ની,2 બાળકો અને વડ સાસુની હત્યા કરી હતી
અમદાવાદના ઓઢવમા સામૃહિક હત્યા કેસમા આરોપીને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. અડધો કલાકમાં 4 હત્યાની અંજામ આપી. મૃતદેહને ઘરમાં જ દફન કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું.પરંતુ સાસુ આવી જતા મૃતદેહ ઘરમાં મુકીને આરોપી ફરારથયો હતો.
8 માસથી આરોપી વિનોદએ હત્યાનું ષડ્યંત્ર રચતો
ઓઢવના વિરાટનગરમાં દિવ્ય પ્રભા સોસાયટીમાં સામુહિક હત્યાકાંડ કેસમાં પોલીસે આરોપી વિનોદ ગાયકવાડને સાથે રાખીને રી કન્સ્ટ્રકશન કર્યું.. FSL ની ટીમ સાથે વીડિયો ગ્રાફી સાથે રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.. અડધો કલાકમાં આરોપીએ હત્યા કાંડ સર્જ્યો.. પત્ની ના અનૈતિક સબંધ ની જાણ થતાં છેલ્લા 8 માસથી આરોપી વિનોદએ હત્યાનું ષડ્યંત્ર રચતો હતો. પૂર્વ વિસ્તારમાં અનેક ફ્લેટ જોયા બાદ હત્યાના 20 દિવસ પહેલા જ વિરાટનગરમાં દિવ્ય પ્રભા સોસાયટીમાં મકાન ભાડે રાખ્યું.. મીનાવાડા નજીક કથલાલથી છરી ખરીદી અને પત્ની તેમજ પુત્રને સરપ્રાઈ આપવાના બહાને હત્યાકાંડ સર્જ્યો..
સમગ્ર ખુની ખેલ કેવી રીતે ખેલાયો?
સૌ પ્રથમ આરોપી વિનોદ ગાયકવાડએ પોતાની દીકરીને ગુટખા લેવા મોકલી અને દીકરાને શીખંડ લેવા મોકલ્યો
પ્રથમ મર્ડર
પત્ની ને સરપ્રાઈઝ આપવાનું કહીને આંખો પર પટ્ટી બાંધી છરીના ઘા ઝીકયાં
બીજું મર્ડર
દીકરી ગુટખા લઈને આવી અને હત્યા કરી
ત્રીજું મર્ડર
દીકરો શીખંડ લઈને આવ્યો અને દીકરાને ટી-શર્ટ લાવ્યો છું તેમ કહીને સરપ્રાઈ આપીને આંખે પટ્ટી બાંધી કરી હત્યા બાદમાં પત્ની અને દીકરી અને દીકરાની લાશ ને એમ ત્રણેય લોકોની લાશને એક રૂમમાં મૂકી દીધી
ચોથું મર્ડર
પોતાની વડ સાસુને કામ છે તેમ કહીને ઘરે બોલાવી તેમને પણ મોતને ઘાટ ઉતારી દીધી
મૃતદેહો દાટવાનો હતો.. પણ સાસુ આવી ગયા
આમ એક પછી એક કુલ ચાર લોકોને મોતને ઘાટ ઉતારનાર વિનોદ ગાયકવાડની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો એ આવ્યો કે હત્યા કર્યા બાદ ચારેય નો મૃતદેહ ઘરમાં દાટવાનો હતો.પરંતુ સાસુ આવી જતા તેનો પ્લાન ફ્લોપ થયો.સાસુ પર દયા આવી જતા તેને હત્યા કરવાનું માંડી વાળ્યું. આ તમામ હકીકત રી કન્સ્ટ્રકશન દરમ્યાન સામે આવી.
આરોપીએ કેમ કરી હત્યા?
આ હત્યાકાંડમા આરોપીના પાંચ દિવસના રિમાન્ડમાં અનેક ખુલાસા થયા. દીકરાની મનમાની, પત્નીના અનૈતિક સબંધ અને વડ સાસુની દખલગીરીએ હત્યાકાંડ સર્જ્યો હોવાનો આરોપીએ કબૂલાત કરી.મહત્વનું છે કે એક ગુસ્સાએ આખા પરિવાર ને વિખેરી દીધો.હાલમાં આરોપીના પાંચ દિવસના રિમાન્ડમાં મહત્વના પુરાવા મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.