જૂન 2019 માં તુર્કીમાં જઈ ડેસ્ટિનેશન લગ્ન કર્યા હતા અને પછી ભારત આવી કોલકાતામાં રિસેપ્શન આપ્યું
એક્ટ્રેસ નુસરત જહાંએ પતિ પર આરોપો લગાવી પોતાના લગ્નને જ અમાન્ય ગણાવ્યા
આ આરોપો બાદ નિખિલે બધી જ વાતોનો ખુલાસો કર્યો
નુસરત જહાં મમતા બેનર્જીની પાર્ટી TMC ની સાંસદ છે
એક્ટ્રેસ નુસરત જહાંએ પતિ પર આરોપો લગાવી પોતાના લગ્નને જ અમાન્ય ગણાવ્યા
TMC સાંસદ તથા એક્ટ્રેસ નુસરત જહાં અને તેના પતિ નિખિલ જૈન બંનેના અલગ થવાની ચર્ચા બાદ હવે પતિ નિખિલ જૈન દ્વારા ઘણો મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. નુસરતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે નિખિલે આર્થિક રીતે તેની સતામણી કરી હતી. વધુમાં તેણે કહ્યું કે આ લગ્ન ગેરમાન્ય છે અને આ લગ્નને કોઈ પણ પ્રકારની માન્યતા મળી જ નથી. આ આરોપો બાદ નિખિલે બધી જ વાતોનો ખુલાસો કર્યો છે સાથે તેણે 2 પાનાંનું સ્ટેટમેન્ટ રજૂ કર્યું છે.
આ આરોપો બાદ નિખિલે બધી જ વાતોનો ખુલાસો કર્યો
નિખિલે આ સ્ટેટમેન્ટમાં કહ્યું "મે નુસરત સાથે લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો તેણે ખુશી ખુશી આ પ્રસ્તાવ સ્વીકાર્યો પણ હતો, અમે જૂન 2019 માં તુર્કીમાં જઈ ડેસ્ટિનેશન લગ્ન કર્યા હતા અને પછી ભારત આવી કોલકાતામાં રિસેપ્શન આપ્યું હતું. અમે પણ સમાજમાં રહેતા બીજા પતિ પત્નીની જેમ સાથે જ રહેતા હતા અને લોકો પણ અમને પતિ પત્નીની જેમ જ સ્વીકાર્યા હતા. મે એક જવાબદાર પતિની જેમ સમય અને પૈસા બધુ જ નુસરતને આપ્યું હતું. નુસરતના નજીકના મિત્રો અને પરિવાર વાળા બધુ જ જાણે છે કે મે નુસરત માટે શું શું કર્યું છે. મે હમેશા કોઈ પણ શરત વગરનું જીવન તેની સાથે વિતાવ્યું પણ લગ્ન બાદ તે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. 2020 માં એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેણે વ્યવહાર બદલાઈ ગયા, તેના પાછળનું કારણ તે જાણે છે. મે અને ઘણી વાર કહ્યું કે આપણે આપણાં લગ્ન રજીસ્ટર કરાવી લઈએ, પણ તે માની જ નહીં. 5 નવેમ્બર 2020ના રોજ તે મારા ઘરમાંથી બધો સમાન અને જરૂરી દસ્તાવેજો લઈને જતી રહી. 2021 માં મે એના ઘરની લોન માટેના પૈસા ચુકવ્યા હતા, હાલ જે પૈસા મને આપી રહી છે, તે લોનનું રિપેમેન્ટ છે. હવે હકીકત શું છે તે તો એ બંને જ જાણે.
Thus the question of divorce does not arise. Our separation happened long back, but I did not speak about it as I intended to keep my private life to myself: TMC MP Nusrat Jahan issues a statement pic.twitter.com/9fWBy3KvJH
નુસરત જહાં મમતા બેનર્જીની પાર્ટી TMC ની સાંસદ છે
નુસરત જહાં, આ નામ તમે ઘણા લોકોના મોઢા પર સાંભળ્યું હશે અને ઘણા લોકોએ તેમની ચર્ચા અવારનવાર સમચારના માધ્યમોથી સાંભળી પણ હશે. પણ જો તમે આ નામથી અને તેમના કયાંથી અજાણ હોવ તો અમે તમને જણાવી દઈએ કે નુસરત જહાં મમતા બેનર્જીની પાર્ટી TMC ની સાંસદ છે, તેઓ બંગાળી ફિલ્મોમાં એક્ટ્રેસ તરીકે કામ કરતાં હતા. હાલમાં તેમની પાસે ઘટેલ એક ઘટનાને કારણે સોશિયલ મીડિયા પર હૉટ ટૉપિક બની ગયા છે. ચાલો જાણીએ શું છે આ મામલો.
Being on foreign land, as per Turkish Marriage Regulation, ceremony is invalid. It was interfaith marriage, it requires validation under Special Marriage Act, which didn't happen. As per Court of Law, it's not marriage but relationship/live-in: Nusrat Jahan, TMC issues statement pic.twitter.com/c9gi82vg8r
છેલ્લા 6 મહિનાથી તેમના પતિ નિખિલ જૈનથી અલગ રહે છે
વાત એમ છે કે સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ સાવ નિમ્ન કક્ષાનું કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું હતું . તેનું પાછળનું મુખ્ય કારણ તેમની પ્રેગ્નેન્સી છે. આ વિશે તેમણે કોઈ જાણકારી આપી નથી, પણ ત્યાંનાં સમાચારો મુજબ તે છેલ્લા 6 મહિનાથી તેમના પતિ નિખિલ જૈનથી અલગ રહે છે. સાથે તેમના પતિને પણ આ પ્રેગ્નેન્સી વિશે કોઈ માહિતી નથી.