અંક જ્યોતિષમાં મૂળાંક 7ને અત્યંત શુભ માનવામાં આવ્યો છે. આ જાતક મહેનતુ, બુદ્ધીમાન અને નસીબના ધની હોય છે. તેઓ પોતાના જીવનમાં બધુ પ્રાપ્ત કરે છે.
અંક જ્યોતિષમાં મૂળાંક 7ને અત્યંત શુભ માનવામાં આવ્યો
આ જાતકો મહેનતુ, બુદ્ધીમાન અને નસીબના ધની હોય છે
આવા જાતકો પોતાના જીવનમાં બધુ પ્રાપ્ત કરે છે
આ જાતકોને નસીબનો ભરપૂર સાથ મળે છે
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંક શાસ્ત્રથી પણ વ્યક્તિ અંગે બધુ જાણી શકીએ છીએ. આજે આપણે એવા લોકો વિશે જાણીએ છીએ, જેને અંક જ્યોતિષમાં સૌથી વધુ લકી માનવામાં આવે છે. આવા લોકો કોઈ પણ મહિનાના 7, 16 અથવા 25મી તારીખે જન્મેલા લોકો છે. આ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હોય છે. આવા જાતકો ખુલીને જીવે છે અને તેઓ બધુ પ્રાપ્ત કરે છે, જેઓ તે મેળવવા માંગે છે. આવા જાતકોને નસીબનો ભરપૂર સાથ મળે છે અને દરેક કામમાં સફળતા મળે છે.
કેતુનો અંક છે મૂળાંક 7
પાપી ગ્રહ મનાતા ગ્રહ કેતુનો અંક 7 માનવામાં આવે છે. જેના કારણે મૂળાંક 7ના જાતકોમાં કેતુ ગ્રહનો પ્રભાવ જોવા મળે છે. આ મૂળાંકના જાતક ક્યારેય કોઈ પણની સામે ઝુકવાનુ પસંદ કરતા નથી. આ પોતાની રીતે કામ કરવુ અને જીવવાનુ પસંદ કરે છે. આ લોકોને પોતાના જીવનમાં કોઈની દખલઅંદાજી પસંદ આવતી નથી.
7 અંકવાળા જાતક ખૂબ માન-સન્માન મેળવે છે
7 અંકવાળા જાતક તેમા જીવનમાં ખૂબ માન–સન્માન મેળવે છે. આવા જાતકોની પાસે પૈસાની ક્યારેય કમી સર્જાતી નથી. તેઓ ખૂબ સક્રિય હોય છે અને પોતાનો સમય બરબાદ કરવાનુ પસંદ કરતા નથી. આવા લોકોનો ઈમેજીનેશન પાવર પણ સારો હોય છે. આ સાથે આ જાતકોમાં ભવિષ્યની ઘટનાઓનો અંદાજ લગાવવાની ક્ષમતા પણ હોય છે. આ લોકોને સફળતા મેળવવા માટે વધુ સંઘર્ષ કરવો પડતો નથી અને સરળતાપૂર્વક સફળતા મેળવે છે. આવા જાતકોમાં માત્ર એક સમસ્યા હોય છે કે તેઓ કોઈ પર પણ સરળતાથી ભરોસો કરી લે છે, જેના કારણે ઘણી વખત વિશ્વાસઘાતના શિકાર થાય છે. આવા જાતકો સમાજ સેવામાં પણ ખૂબ સમય અને પૈસા લગાવે છે અને હંમેશા બીજાની મદદ કરે છે. પોતાના પરિવારજનોની ખૂબ પરવાહ કરે છે.