પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) લાગૂ કરવાની કવાયત વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે કોઇપણ લોકોને તેમના રાજ્યથી નીકળી નહીં શકે. સાથે કહ્યું કે એનઆરસી લાગૂ થવાથી પ.બંગાળની શાંતિ વ્યવસ્થા પ્રભાવિત થશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
મમતા બેનર્જીએ કહ્યું- કોઇપણ લોકોને તેમના રાજ્યથી નીકળી નહીં શકે
મમતા બેનર્જીએ કહ્યું કે પ.બંગાળ શાંતિપૂર્ણ રાજ્ય, એનઆરસીને કારણે શાંતિ વ્યવસ્થા ખરાબ થશે
સોમવારે પોતાના એક સંબોધન દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે પ.બંગાળ શાંતિપૂર્ણ માહોલ વાળુ રાજ્ય છે અને જો એનઆરસી લાગૂ થાય છે તો અહીંની શાંતિ વ્યવસ્થા ખરાબ થશે. મમતા બેનર્જીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે પ્રદેશ સરકાર આપની સાથે હતી અને આ મુદ્દા પર હંમેશા તમારી સાથે જ રહેશે.
એમણે કહ્યું કે આ અમારો લોકતાંત્રિક અધિકાર છે કે આપણે આપણા દેશમાં રહીએ. બંગાળને એનઆરસીની જરૂર નથી અને તેને કોઇપણ રીતે અહીં લાગૂ ન કરવો જોઇએ.
ભાજપ પર લગાવ્યો હતો અરાજકતા ફેલાવવાનો આરોપ
મમતા બેનર્જીએ હાલમાં જ એક નિવેદન આપતા બીજેપી પર પ્રદેશમાં અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. મમતાએ કહ્યું કે પ્રદેશમાં એનઆરસીના કારણે લોકોના મનમાં ડર છે અને આ કારણે પ્રદેશમાં ઘણા લોકોના મોત પણ થયા છે.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે બીજેપી પોતાના રાજનૈતિક પ્રોપેગેન્ડા હેઠળ 'નકલી અભિયાન' ના માધ્યમથી કહી રહી છે કે તે બંગાળમાં પણ એનઆરસી સૂચી લઇને આવશે. એમણે કહ્યું હતું કે 'બંગાળ છોડો, એનઆરસી કોઇ અન્ય રાજ્યમાં પણ આવી શકશે નહીં.