સરકારના આ નિર્ણય પછી, પોસ્ટ ઑફિસ યોજના જેવી જ સરકારી યોજનાઓ હવે ખાનગી બેંકો પણ શરૂ કરી શકશે.
મોદી સરકારનો મહત્વનો નિર્ણય
નાણાં મંત્રાલયે ટ્વિટ કરીને આપી માહિતી
ગ્રાહકોને હવે મળશે વધુ સુવિધા
સરકારે ખાનગી બેંકો પરનો પ્રતિબંધ હટાવ્યો છે, જેના હેઠળ ખાનગી બેન્કોને સરકારી વ્યવસાય મેળવવા માટે અરજી કરવાની મનાઈ હતી. નાણાં મંત્રાલયની ઓફિસથી ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સરકારે ખાનગી બેંકોને પણ લીલી ઝંડી આપી દીધી છે કે હવે તેઓ સરકારી ટેન્ડર પણ મેળવી શકશે.
ગ્રાહકો પાસે નવો વિકલ્પ ઊભો થશે
સરકારના આ પગલાથી ગ્રાહકોને પણ ફાયદો થશે. ગ્રાહકો પાસે નવા વિકલ્પો રહેશે. આ પગલાથી ગ્રાહકોની સુવિધામાં સુધારો થશે, સ્પર્ધા વધશે અને ગ્રાહકોની સેવાઓમાં વધુ ઉત્કૃષ્ટતા આવશે. આ પહેલા ફક્ત ખાનગી ક્ષેત્રની કેટલીક બેંકોએ જ આ માટે મંજૂરી અપાઈ હતી. હવે નાણાં મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે તમામ ખાનગી બેંકો સરકારી વ્યવસાયમાં ભાગ લઈ શકશે. આ પગલાથી અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે તેવી અપેક્ષા છે.
निजी बैंक अब सरकारी बैंकों के साथ बनेंगे देश के विकास में बराबर के साथी। निजी बैंकों के ऊपर सरकारी व्यवसाय पर लगी रोक हटी। उपभोक्ताओं को मिलेगी बेहतर सेवाएँ व सुविधाएं। सरकार के सामाजिक और वित्तीय समावेश योजनाओं में निजी बैंक भी होंगे भागीदार। @FinMinIndiahttps://t.co/ITtxalwNbx
નાણાં મંત્રાલયે કહ્યું હતું કે આ પગલાથી ખાનગી બેન્કો પણ સામાજિક ક્ષેત્રે સરકારી પહેલ કરી અને ગ્રાહકોની સુવિધામાં સુધારો કરીને ભારતના અર્થતંત્રના વિકાસમાં સમાન ભાગીદાર બની શકે છે. નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, તેવું કહ્યું હતું સાથે જ ટ્વીટ પણ આપવામાં આવી હતી.
ખાનગી બેંકો પણ પોસ્ટ ઓફિસ જેવી યોજનાઓ લાવશે
આ નિર્ણય પછી, પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ જેવી સરકારી યોજનાઓ હવે ખાનગી બેંકો દ્વારા પણ શરૂ કરી શકાય છે. ખાનગી બેંકો પરનો પ્રતિબંધ હટાવ્યા પછી, પેન્શન ચૂકવણી, નાની બચત યોજનાઓ, સરકાર સાથે જોડાયેલા બેંકિંગ વ્યવહારો પણ ખાનગી બેંકો દ્વારા થઈ શકે છે. સરકારે પ્રતિબંધ પાછો ખેંચ્યા પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પર નવા અધિકાર અપનાવવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં, હવે ખાનગી બેંકો પણ સરકારના આર્થિક અને સામાજિક એજન્ડામાં સમાન ભાગીદારી કરશે.