ગંગા દશેરાના દિવસે લોકો ગંગામાં સ્નાન કરવા જાય છે. આ દિવસે ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં છે. કહેવામાં આવે છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના દરેક પાપોનો નાશ થાય છે. આ ઉપરાંત કહેવામાં આવે છે કે આ દિવસે જે કઈ પણ દાન વગેરે કરવામાં આવે તેની સંખ્યા 10 હવી જોઈએ. દાન કરવાથી તમામ મોનકામનાઓ પૂરી થાય છે.....
ગંગા સ્નાનનો સૌથી સારો સમય વહેલી સવારેઃ 4.15 થી લઈ સવારના 5.25 વાગ્યા સુધીનો હોય છે. આ સમયે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. આ સ્નાનને ઋષિ સ્નાન પણ કહેવામાં આવે છે. એનો અર્થ એ બિલકુલ નથી કે જે લોકો આ સમયે સ્નાન નથી કરી શકતા તેઓને આ સ્નાન કરવાથી પુણ્યલાભ નહિ મળે. શ્રદ્ધાળુ સવારથી લઈ સૂર્ય અસ્ત સુધી સ્નાન કરીને પુણ્ય કમાઈ શકે છે.
ગંગા પૂજન માટે એ જરૂરી નથી કે તમે ગંગામાં સ્નાન કરીને જ તેનું ફળ પ્રાપ્ત કરી શકો છો. જો તમે ગંગાજીમાં સ્નાન નથી કરી શકતા તો ઘરની પાસે આવેલી કોઈ પણ નદી કે તળાવમાં સ્નાન કરી શકો છો. જો એ પણ સંભવ ન થઈ શકે તો ઘરમાં જ સ્નાન કરી ગંગાજીનું ધ્યાન ધરો. જો ગંગાજીમાં સ્નાન કરી રહ્યા છો તો નદીમાં 10 વખત ગોથા લગાવો.
એવી માન્યતા છે કે ગંગા દશેરા 10 પાપોના નાશ કરે છે માટે તેની પૂજા કરતા સમયે 10 પ્રકારના ફૂલ 10 ધૂપ 10 દિપક 10 પ્રકારના નૈવેધ 10 તાંબૂલ અને 10 ફળોનો પ્રયોગ કરવામાં આવે છે.
આ દિવસે પૂજા કરતી વખતે 10 ભ્રાહ્મણોને 16 મુઠ્ઠી જવ અને તલ દક્ષિણામાં આપવાથી લાભ મળે છે. ગંગા કે કોઈ પણ પવિત્ર નદીનું ધ્યાન કરતા પવિત્ર મનથી પૂજા કરવી જોઈએ. પૂજા દરમ્યાન ' ऊँ नम: शिवायै नारायण्यै दशहरायै गंगायै नम: ' નો જાપ કરવો જોઈએ.