મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને તેમની સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ ભલે 125-125 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા પર સહમતિ દર્શાવી છે. પરંતુ શરદ પવારની પાર્ટીની રાજ્યમાં તમામ 36 જિલ્લામાં પ્રતિનિધિત્વની માંગથી બંને પાર્ટીઓ વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ગુંચવણ પેદા થઇ છે.
કોંગ્રેસ-NCP વચ્ચે 125-125 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા પર સહમતિ
રાજ્યમાં 21 ઓક્ટોબરે મતદાન અને 24 ઓક્ટોબરે મતગણના
NCPની મુંબઇની 36 બેઠકોમાંથી 12 બેઠકોની માંગ
NCP નેતાઓનું કહેવું છે કે જલ્દી જ આ વિશે નિર્ણય કરવામાં આવશે કે બંને પાર્ટીઓ અને નાની સહયોગી પાર્ટીઓના ખાતામાં કઇ-કઇ બેઠકો આવશે. બંને પાર્ટીઓના રાજ્ય એકમના નેતા પોતાની અને નાની પાર્ટીઓની બેઠકો નક્કી કરવા માટે સતત બેઠકો કરી રહ્યા છે. રાજ્યની તમામ 288 બેઠકો માટે 21 ઓક્ટોબરે મતદાન અને 24 ઓક્ટોબરે મતગણના છે.
NCP તરફથી દરેક જિલ્લામાં બેઠકની માંગ
NCP નેતાઓનું કહેવું છે કે જલ્દી જ આ વિશે નિર્ણય કરી લેવામાં આવશે કે બંને પાર્ટીઓ અને નાની સહયોગી પાર્ટીઓના ખાતામાં કઇ-કઇ બેઠકો આવશે. મહારાષ્ટ્ર એકમના વરિષ્ઠ નેતાએ બતાવ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફથી દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક અથવા બે બેઠકની માંગ કરાઇ છે. જે અમારા માટે થોડુ વ્યવહારિક નથી કેમકે રાજ્યમાં ઘણા વિસ્તાર છે જ્યાં તેની કોઇ ખાસ અસર નથી. એમણે કહ્યું કે બંને પાર્ટીઓમાં સતત વાતચીત ચાલી રહી છે. કેટલાક દિવસોની અંદર જ અમે પાર્ટીની અને નાના સહયોગી પાર્ટીઓની બેઠકો નક્કી કરી લઇશું.
કોંગ્રેસ-એનસીપી પર નાની પાર્ટીઓને સંતુષ્ટ કરવાની મુશ્કેલી
કોંગ્રેસના અન્ય એક નેતાએ કહ્યું કે NCP વિદર્ભમાં ઘણી બેઠકોની માંગ કરી રહી છે જ્યારે, આ ક્ષેત્રમાં તેમનો કોઇ ખાસ આધાર નથી. આ જ પ્રકારે તેણે મુંબઇની 36 બેઠકોમાંથી 12 બેઠકોની માંગ કરી છે. હકીકતમાં 2009માં ગઠબંધનમાં રહેતા તે માત્ર 7 બેઠકો પર લડી હતી. બંને પાર્ટીઓની વચ્ચે એ નક્કી છે કે બંને લગભગ એ તમામ બેઠકો પર ચૂંટણી લડશે જ્યાં ગત વખતે બંને પાર્ટીએ જીત હાંસલ કરી હતી. ગત ચૂંટણીમાં બંને પાર્ટી અલગ લડી હતી. કોંગ્રેસને 42 અને રાકાંપાને 41 બેઠકો મળી હતી. કોંગ્રેસ-NCP ગઠબંધનની સામે વધુ એક મુશ્કેલી 38 બેઠકો સાથે નાની પાર્ટીઓને સંતુષ્ટ કરવાની છે. બંને સપા, સ્વાભિમાની પક્ષ, વામ દળ અને કેટલીક અન્ય પાર્ટીઓને સાથે લેવા માંગે છે.
જોકે, નાની પાર્ટીઓએ 38 બેઠકો પર અસંતોષ વ્યક્ત કર્યો છે. સૂત્રો મુજબ, લોકસભા ચૂંટણીમાં કારમી હાર અને પોતાના ઘણા નેતાઓના ભાજપ અને શિવસેનામાં જોડાયા બાદ પડકારજનક સ્થિતિનો સામનો કરી રહેલી કોંગ્રેસ અને એનસીપીનો પ્રયાસ રહેશે કે નાની પાર્ટીઓને સાથે લેવામાં આવે.