મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના સાઈ બાબા પર આપેલા નિવેદન બાદ સાઈ સમર્થકો રોષે ભરાયા છે અને શિરડી બંધનું એલાન કર્યું છે. સામાન્ય વ્યક્તિ જ નહીં પરંતુ બોલીવુડના સિતારાઓ પણ સાંઈ ભકત છે.
એવામાં જ 19 જાન્યુઆરીએ શિરડી બંધનું સમર્થકોએ એલાન કર્યું છે. સાંઈ ભક્તોનો આરોપ છે કે મહારાષ્ટ્ર સરકાર આસ્થાનો દુરપયોગ કરી રહી છે. સામાન્ય વ્યક્તિ જ નહીં પરંતુ બોલીવુડના સિતારાઓ પણ સાઈ ભકત છે. ઘણી વખત જાણીતા સ્ટાર પણ સાંઈ બાબાના દર્શન કરવા શિરડી આવે છે. પ્રીતિ ઝીંટાથી લઇ અજય દેવગણ જેવા સ્ટાર સાંઈ બાબાના ભક્ત છે.
અજય દેવગણ
બોલીવુડના સિંઘમ અજય દેવગણ સાઈ ભક્તિમાં અતુટ વિશ્વાસ ધરાવે છે. અજય 2017માં શિરડી ગયા હતા અને સાંઈ બાબાના દર્શન કર્યા હતા.
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી પણ સાંઈ બાબા ખુબ મોટા ભક્ત છે. તેમણે 2108માં શિરડી ગયા હતા અને બાબાના દર્શન કર્યા હતા. એટલું જ નહીં તેમણે સોનાનું મુગઠ પણ ચડાવ્યું હતું. આ મુગઠની કિંમત 26 લાખ રૂપિયા હતી.
રાની મુખર્જી
વર્ષ 2109માં તેમની ફિલ્મ મર્દાની રીલીઝ થયા પહેલા જ શિરડી ગયા હતા. અને સાંઈ બાબાના દર્શન કર્યા હતા.
કપિલ શર્મા
2017માં તેમની ફિલ્મ ફિરંગી રીલીઝ થયા પહેલા જ કોમડીયન સુપરસ્ટાર કપિલ શર્મા શિરડીમાં સાંઈ બાબાના દર્શન કરવા માટે પહોચ્યા હતા. કપિલ સાઈ ભક્ત છે અને બાબાના આશીર્વાદ લેવા માટે પહોચ્યા હતા.
સોનૂ સૂદ
સાઉથ અને બોલીવૂડ એકટર સોનૂ સૂદ પણ ખુબ મોટા સાઈ ભક્ત છે. સોનૂ આગલા વર્ષે જ સાઈ બાબાના દર્શન કરવા શિરડી પહોચ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરી હતી અને કહ્યું હતું કે સાઈ બાબાને તે પોતાની તાકાત અને જીવનની રોશની માને છે.