દિલ્હી દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી EDની ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલનો પણ બે જગ્યાએ ઉલ્લેખ કર્યો એવામાં હવે સિસોદિયા બાદ કેજરીવાલની પણ પૂછપરછ થઈ શકે છે
સિસોદિયાને 7 દિવસના EDના રિમાન્ડ પર મોકલવાની મંજૂરી
સીએમ કેસીઆરની પુત્રી કવિતાની પણ પૂછપરછ કરશે
ચાર્જશીટમાં CM કેજરીવાલનું નામ પણ સામેલ
દિલ્હીના 292 કરોડના દારૂ કૌભાંડમાં સીબીઆઈ અને ઈડી અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરી ચૂકી છે અને આ આરોપીઓમાં સૌથી મોટું નામ મનીષ સિસોદિયાનું છે. જણાવી દઈએ કે સિસોદિયાને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો અને કોર્ટે એમને 7 દિવસના EDના રિમાન્ડ પર મોકલવાની મંજૂરી આપી હતી. એટલું જ નહીં નોંધનીય છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહનું નામ પણ EDની ચાર્જશીટમાં સામેલ છે.
#WATCH | Delhi: BRS MLC K Kavitha leaves from the residence of her father, Telangana CM K Chandrashekar Rao, for the ED office.
She is appearing before the agency in connection with the liquor policy case. pic.twitter.com/rQpgrkqKZW
સીએમ કેસીઆરની પુત્રી કવિતાની પણ પૂછપરછ કરશે
જણાવી દઈએ કે આ જ કિસ્સામાં 11 માર્ચ શનિવારે એટલે કે આજે ED તેલંગાણાના સીએમ કેસીઆરની પુત્રી કવિતાની પણ પૂછપરછ કરશે. હાલ દેખાઈ રહ્યું છે કે આ બાબતે ED સક્રિય દેખાઈ રહી છે તે જોતા સવાલો ઉઠી રહ્યા છે કે શું દારૂ કૌભાંડની તપાસમાં હજુ વધુ નેતા ફસાઈ શકે છે?
'ચૂંટણી આવે છે અને આમ આદમી પાર્ટીને ફંડની જરૂર છે'
જણાવી દઈએ કે ઇડીએ મનીષ સિસોદિયાને કસ્ટડીમાં લેવા માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં કરેલી દલીલોમાં AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહનું નામ પણ લીધું હતું. સ સાથે જ EDએ લાંચ આપનાર તરીકે ચર્ચામાં રહેલા રેસ્ટોરન્ટના માલિક દિનેશ અરોરાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વિશે માહિતી આપતા EDએ કહ્યું કે 2020માં દિનેશ અરોરાને સંજય સિંહનો ફોન આવ્યો કે ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટીને ફંડની જરૂર છે.
#WATCH | Delhi: BRS MLC K Kavitha arrives at the ED office. She has been summoned by the agency in connection with the Delhi liquor policy case. pic.twitter.com/FJzGpm08oz
ચાર્જશીટમાં CM કેજરીવાલનું નામ પણ સામેલ
નોંધનીય છે કે દિલ્હી દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી EDની ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલનો પણ બે જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે સિસોદિયા બાદ કેજરીવાલની પણ પૂછપરછ થઈ શકે છે કે એ વિશે હાલ ચર્ચા ચાલી રહી છે.
અરવિંદ કેજરીવાલ સાથે થઈ શકે છે પૂછપરછ
આ ચર્ચા એટલા માટે ચાલી રહી છે કારણ કે એક અધિકારીએ જણાવ્યું હતું કે સિસોદિયા, સત્યેન્દ્ર જૈનની હાજરીમાં કેજરીવાલના ઘરે દારૂ કૌભાંડની ડ્રાફ્ટ કોપી બતાવવામાં આવી હતી. આ સિવાય FaceTime પર એક આરોપી સાથે વાત કરતી વખતે એવો દાવો કરવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે વિજય નાયર મારો માણસ છે, તેની સાથે વાત કરો.આ સિવાય ઈડીએ અરવિંદ કેજરીવાલના પીએને ફોન કરીને પૂછપરછ પણ કરી છે.
તેલંગાણા સુધી જોડાયેલા છે તાર
દારૂનું કૌભાંડ ભલે દિલ્હીમાં થયું હોય પરંતુ તેના તાર તેલંગાણા સુધી જોડાયેલા છે. જણાવી દઈએ કે દિલ્હી શરાબ કૌભાંડમાં હાલમાં દેશમાં ભાજપ વિરુદ્ધ બિન-કોંગ્રેસી મોરચો બનાવવાનો પ્રયાસ કરી રહેલી કેસીઆરની પુત્રી કવિતાનું નામ સામે આવી રહ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન EDના વકીલે કહ્યું હતું કે, 'સિસોદિયાના સહાયક વિજય નાયર આ સમગ્ર ષકૌભાંડ ઘડી રહ્યા હતા અને તેમાં સરકારી તંત્ર, વચેટિયા અને અન્ય ઘણા લોકો સામેલ છે. સાથે જ વિજય નાયર, સિસોદિયા, તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતા અને અન્ય ઘણા લોકો પણ આમાં સામેલ છે.