મહેસાણાના દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે. જેમાં ડેરીમાંથી વનસ્પતિ ઘી અને અન્ય ભેળસેળ મળ્યું હોવાનું સામે આવ્યું છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને 147 પૈકી 146 સેમ્પલમાં ભેળસેળ મળી હતી. ઘી ભેળસેળ મામલે મહેસાણામાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મહેસાણા દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળનો મામલો
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને 147 પૈકી 146 સેમ્પલમાં ભેળસેળ મળી
ઘી ભેળસેળ મામલે મહેસાણામાં નોંધાઈ છે ફરિયાદ
મહેસાણા દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળ મામલે મોટો ખુલાસો થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં 147માંથી 146 સેમ્પલમાં ભેળસેળ સામે આવ્યું છે. ત્યારે એ કેસમાં ખાસ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વિજય બારોટની નિમણૂંક કરાઇ છે.
જેમાં વિજય બારોટે ખુલાસો કરતા કહ્યું કે દૂધસાગર ડેરી ગેરકાયદે હરિયાણાના પુન્હામાં ફેડરેશનની પરવાનગી વગર ડેરી પ્લાન્ટમાં ઘી બનાવતી હતી. પુન્હા અને મહેસાણા વચ્ચે 800 કિલોમીટરનું અંતર છે. ત્યારે ઘી મહેસાણા લાવી અને તેનું સાગર ઘી બ્રાન્ડથી પેકિંગ કરવામાં આવતું હતું.
આ સમગ્ર મામલો રાજસ્થાનમાં ટેન્કર ઝડપાતા સામે આવ્યો હતો. જે બાદ 147 સેમ્પલ લેવાયા હતા. અને આ સેમ્પલમાં એસી ટેમની હાજરી જોવા મળી છે. ત્યારે આ પકડાયેલું ટેન્કર મહેસાણા ડેરીમાં 19 દિવસ પડી રહ્યું હતું. અને ડેરીના વહીવટકર્તાઓએ પણ કોઇને જાણ ન હતી કરી. અને 19 દિવસ બાદ કોન્ટ્રાક્ટરને ટેન્કર આપી દીધું હતું.
સળગતા સવાલ
લોકોને બ્રાન્ડના નામે ભેળસેળવાળું ઘી આપતા હતા?
કેટલા સમયથી થતી હતી ઘીમાં ભેળસેળ?
સાગર બ્રાન્ડથી વેચાતું હતું અશુદ્ધ ઘી?
ડેરીના ચેરમેન સામે હજું સુધી કેમ કાર્યવાહી નથી કરાઇ?