25 વર્ષ થી રાજ્યમાં જળ સંચયની વાતો કરતી સરકાર વડોદરાના પ્રતાપપુરા સરોવરને જાણેકે ભૂલીજ ગઈ હતી મહારાજા સયાજીરાવે નિર્માણ કરેલા પ્રતાપપુરા સરોવર ની દરકાર લેવાનું ભુલાઈ જતા આજે સરોવર સીસીરુ તળાવ બની રહી ગયું છે જોઈએ ઉપેક્ષિત રહેલા ગાયકવાડી સમય ના વિસાળ પ્રતાપપુરા સરોવર ની દુર્દશાનો અહેવાલ.
વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેની દુરન્દેશી ના કારણે નિર્માણ પામેલા અનેક કામો પૈકી નું પ્રતાપપુરા સરોવર પણ એક છે, વડોદરા ને પીવાનું પાણી પૂરું પડતા આજવા સરોવર માં પાણી ખૂટે તો પ્રતપપુરા સરોવર નું પાણી અહીં લાવી શકાય તેવી વ્યવસ્થા વાળા આ સરોવરના નિર્માણ માં 999 વીઘા જમીન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
229 ફૂટ પાણી ભરાય તેવી વ્યવસ્થા છે આ સરોવરમાં
તેમણે હાલોલ અને પાવાગઢ ના ડુંગરોનું પાણી પ્રતાપુર સરોવર માં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને આ સરોવર માં 229 ફૂટ પાણી ભરાય તેવી વ્યવસ્થા જેતે વખતે કરવામાં આવી હતી.
મહારાજ સયાજીરાવ ની દૂરંદેશી ના કારણે નિર્માણ પામેલા આ સરોવર ની કાયમ માટે તમામ સરકારો એ ઉપેક્ષાજ કરી છે નિર્માણ પછી એક પણ વખત આ સરોવર ની સફાઈ કે તેને ઊંડું કરવાની કોઈજ કામગીરી હાથ ધરવામાં આવી નથી જેના કારણે આ સરોવર આજે કાપ અને બાવળો થી પુરાઈ ગયું છે.
2013/ 14 માં આ સરોવર ને ઊંડું કરવાની કરાઇ હતી વાત
સરોવર ની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા પણ ઘટી ગઈ છે 25 વર્ષ થી જાણ સંચય ની વાતો કરતી ભાજપ સરકાર ના ધ્યાન માં પણ આ સરોવર આવ્યું નથી જેના કારણે આજે આ સરોવર ખાલી થઇ ગયું છે 2013/ 14 માં આ સરોવર ને ઊંડું કરવાની યોજના વિચારવામાં આવી હતી પણ તેના પર કંઈજ કામ ના થયું હોવાનું બહાર આવ્યું છે તત્કાલીન ડેપ્યુટી મેયર અને હાલ અકોટા ના ધારાસભ્ય સીમાબેન મોહિલે જણાવી રહ્યા છે.
999 વીઘામાં પથરાયેલું સરોવર પડ્યું છે સૂકું ભટ્ઠ
ઉલ્લેખનીય છે કે, પ્રતાપપુરા સરોવરનું નિર્માણ થયું ત્યાર થી આજ સુધી અહીં કોઈ પણ પ્રકાર ની કામગીરી કરવામાં આવી નથી માટે બે વાર તેનો પાળો તૂટ્યો ત્યારે તેનું રીપેરીંગ કરવામાં આવ્યું છે આજ સુધી આ તળાવ માં ભરાયેલા કાપ ને કે અહીં ઉગીનીકળેલા બાવળો ને દૂર કરવા કોઈજ કામગીરી કરવામાં આવી નથી.
જેના કારણે પાણી નો સંગ્રહ થઇ શકતો નથી 999 વીઘા માં પથરાયેલું આ સરોવર આજે સૂકું ભટ્ઠ થઇ ગયું છે અને આ સરોવર પોતાની ઓળખ પણ ગુમાવી ચૂક્યું છે ત્યારે અહીં ના સાથની કે લોક પણ કહી રહ્યાં છે કે આજ સુધી આ સરોવર માટે કોઈજ કામ કરવામાં આવ્યું નથી જો આ સરોવર ને ઊંડું કરવામાં આવે તો પાણી નો વિપુલ સંગ્રહ થઇ શકેતેમ છે.
આપને જણાવી દઇએ કે, વડોદરા શહેર નો જેમ જેમ વિકાસ વધી રહ્યો છે તમે જન સંખ્યા પણ વધી રહી છે ત્યારે અત્યાર સુધી કોઈ શાસકો ને પ્રતાપપુરા સરોવર ના વિકાસ ની વાત જ યાદ આવી નથી જોકે હવે વડોદરા ના પાંચેય ધારાસભ્યો ભેગા મળી ને આગામી 25 વર્ષ માટે વડોદરા ને પાણી ની તકલીફ ના પડે તે માટે કોઈ ઠોસ આયોજન કરવના ભેગા રૂપે પ્રતપપુરા સરોવર ના વિકાસ ની યોજના સરકાર પાસે મુકવાના છે અને સરકર આના માટે કોઈ ખાશ ગ્રાન્ડ ની જોગવાઈ કરે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના પર થી લાગી રહયું છે કે હવે પ્રતાપપુરા સરોવર નો વિકાશ થશે.
ધમકી આપનાર અસ્થિર મગજનો હોવાનું ખુલ્યું
પોલીસે ધમકીભર્યા ફોન બાદ યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરતા ફોન કરનારની ઓળખ થઇ હતી, આ શખ્સ શાહઆલમનો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું. તેનું નામ મહોમ્મદ આશિફ શેખ છે. ધમકી આપનાર શખ્સ અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું