નાણામંત્રાલયે ગુરુવારે ચક્રવૃદ્ધિ અને સાધારણ વ્યાજની વચ્ચેના અંતરની ભરપાઈ સંબંધિત અનુગ્રહ રાહત યોજનાના વધારાના એફએક્યૂ જાહેર કર્યા છે. તેઓએ કહ્યું કે ઉધાર લેનારાઓને 29 ફેબ્રુઆરી સુધી ક્રેડિટ કાર્ડ પર બાકીની રકમ માટે આ યોજનાનો લાભ મળશે. આ રાહત માટે બેન્ચમાર્ક નક્કી કરાશે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કૃષિ અને સંબંધિત ગતિવિધિઓની રકમ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજ પર વ્યાજ માફીની યોજનાનો લાભ મળશે નહીં.
નાણામંત્રાલયે કરી સ્પષ્ટતા
ટ્રેક્ટર અને પાક સંબંધિત બાબતોમાં નહીં મળે ચક્રવૃદ્ધિ વ્યાજ
સરકારે દરેક બેંકોને 5 નવેમ્બર સુધીમાં રૂપિયા જમા કરવા કહ્યું
નાણામંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ યોજનામાં કુલ 8 ક્ષેત્ર છે. પાક અને ટ્રેક્ટર સંબંધિત રકમ આ યોજનામાં સામેલ નથી. તે કૃષિ અને સંબંધિત ગતિવિધિઓમાં આવે છે. ભારતીય રિઝર્વ બેંકે મંગળવારે કહ્યું હતું કે તે 2 કરોડ રૂપિયાના ઉધાર માટે હાલમાં જાહેર કરાયેલા વ્યાજ પર વ્યાજ માફીની યોજના લાગૂ કરે. આ યોજનાના આધારે 2 કરોડ રૂપિયા સુઉધીના ઉધાર પર વ્યાજ પર લાગનારા વ્યાજને 1 માર્ચ 2020થી 6 મહિના સુધી માફ કરાશે.
સરકારે દરેક બેંકોને 5 નવેમ્બર સુધીમાં રૂપિયા જમા કરવા કહ્યું
સરકારે શુક્રવારે દરેક વ્યક્તિ માટે બાકી ખાતાને માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચેના અંતરના પેમેન્ટને લઈને 6 મહિનાને માટે અનુગ્રહ કે અનુદાનની જાહેરાત કરી હતી. સરકારે દરેક બેંકોને 5 નવેમ્બર સુધી ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજના અંતરને ઉધાર લેનારા ખાતેદારોના ખાતામાં જમા કરવા કહ્યું હતું.
આ પહેલાં સુપ્રીમ કોર્ટે પણ સરકારને કહ્યું હતું કે તેઓ આ યોજના વિશેની ખોટી માન્યતાઓ દૂર કરે અને લેણદારોને રાહત આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે લોકોને રાહત પહોંચાડવાની જાહેરાત તો કરી પણ તેની પર અમલની સ્થિતિ શું છે. લોકોની દિવાળી તમારા હાથમાં છે. તમારી જાહેરાતો પર તત્કાલ રીતે અમલ કરો.