શખ્સે આરોપ લગાવ્યો છે કે, કોવિશિલ્ડનો ડોઝ લીધા બાદ એન્ટીબોડી તો ન બન્યા પરંતુ પ્લેટલેટ્સ કાઉન્ટમાં પણ ઉલ્ટાનો ઘટાડો થયો છે.
પ્લેટલેટ્સમાં થયો ઘટાડો
શખ્સે વધુમાં જણાવ્યું કે, પહેલા 3 લાખ હતા. જો કે, રસી લીધા બાદ તેમાં ઘટાડો થયો અને દોઢ લાખ થઈ ગયા. આ ફરિયાદ આશિયાના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ મામલે સ્થાનિક પોલીસ અધિકારીએ નિવેદન આપ્યું હતું કે, મામલાની તપાસ માટે સ્થાનિક આરોગ્ય અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. વહીવટી લેવલે આ મામલે તપાસ હાથ ધરાશે.
જો કે, આ ફરિયાદને લઈને પોલીસે FIR નહીં નોંધાતા અરજદારે કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.
વેક્સિન લીધા બાદ આરોગ્ય બગડ્યું હોવાનો લગાવ્યો આક્ષેપ
ફરિયાદી પ્રતાપ ચંદ્ર ગુપ્તા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોવિશિલ્ડ રસી લીધા બાદ તેમના આરોગ્ય પર ખરાબ અસર પડી હતી. પ્લેટલેટ્સમાં ઘટાડો થયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, 21 મેના રોજ ICMR અને આરોગ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ નિહાળી હતી, જેમાં ડાયરેક્ટર બલરામ ભાર્ગવે સ્પષ્ટ કહ્યું હતું કે, કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધા બાદ શરીરમાં સારી એન્ટીબોડી તૈયાર થાય છે, જ્યારે વેક્સિનના બંન્ને ડોઝ લીધા બાદ એન્ટીબોડી બની જાય છે. આ જોતા 25 મેના રોજ મેં સરકારી લેબમાં એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો હતો.
મારા જેવા કેટલાક લોકો છે
શખ્સે વધુમાં કહ્યું કે, હું એકલો નથી જેના શરીરમાં એન્ટીબોડી બની રહી નથી, મારા જેવા અનેક લોકોમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે.
સ્થાનિક પોલીસે આરોગ્ય અધિકારીઓનો સાધ્યો સંપર્ક
આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ પણ વિચારતી થઈ હતી અને સમગ્ર મામલે ફરિયાદ નોંધી હતી. સાથે જ આરોગ્ય વિભાગનો પણ સંપર્ક સાધ્યો હતો અને તપાસ કરવા માટે જણાવ્યું હતું.