બિહારમાં દારૂબંધી માટે નીતિશ કુમારનો નવો પ્લાન, દારૂનો ધંધો છોડવા વાળા લોકોને એક લાખ રૂપિયા અપાશે
બિહારમાં દારૂબંધી માટે નીતિશ કુમારનો નવો પ્લાન
દારૂનો ધંધો છોડવા વાળા લોકોને એક લાખ રૂપિયા અપાશે
2016 પછી દારૂ બાબતે 4 લાખ લોકોની ધરકપડ કરાઈ
બિહારમાં આજે નશા મુક્તિ દિવસ બનાવામાં આવ્યો છે ત્યારે નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે કે, બિહારમાં દારૂનો ધંધો છોડવા વાળા લોકોને એક લાખ રૂપિયા બિહાર સરકાર આપશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, આ નીતિ ફ્કત દારૂ છોડવાવાળા માટે જ નથી પરંતું દારૂના ધંધો કરવાવાળા લોકો માટે પણ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, બિહારમાં દારૂ બાબતે ધરપકડ કરવામાં આવી રહી છે પરંતુ કે પકડાય છે જે દારૂ પીવે છે. નીતિશ કુમારે કહ્યું કે, રાજ્યમાં જે દારૂનો ધંધો કરે છે તેમની ધરપકડ ઓછી થઈ રહી છે.
દારૂબંધી માટે નીતિશ કુમારનો નવો પ્લાન
નીતિશ કુમારે જાતે જ સવાલ કરતા કહ્યું કે, અસલી ધંધો કરવાવાળા ક્યાં પકડાય છે? એ લોકો તો બહાર જ નહી આવતા. તેમણે કહ્યું કે, ગરીબ લોકોને બહાર મુકીને હોમ ડીલેવરી કરાવે છે અને ગરીબ લોકોને પકડવાની જરૂર નથી તેમણે કહ્યું ગરીબ દારૂ અથવા તાડી વેચે છે તેમના માટે અમે સ્કિમ લાગુ કરી છે.
4 લાખ લોકોની ધરપકડ કરાઈ
તેમણે જણાવ્યું કે, બિહારમાં 2016થી દારૂબંધી છે ત્યારેથી લઈ આજ સુધી આ કાયદા કાનૂન આધીન 4 લાખ લોકોની ધરપકડ કરી છે. આ મહિનામાં દારૂબંધીની સમીક્ષા કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મદ્ય પ્રતિબંધ વિભાગને કહ્યું કે, દારૂ પીવાવાળાની જગ્યાએ દારૂ પીવાવાળા લોકોને પકડો.
નીતિશ કુમારે આ ટ્વિટ કરી
બિહારમાં રોજ રોજ દારૂને લઈ ચર્ચાઓ ચાલી રહી છે અને રોજ રોજ દારૂના કેસો પણ સામે આવી રહ્યાં છે આ બધી ખબર બિહાર સરકારની નીતિ પર સવાલ ઉભા થઈ રહ્યાં છે. બિહાર પોલીસ લગાતાર એક્શન લે છે પરંતું જેમા ગરીબ લોકો જ પકડાય છે જેના માટે મુખ્યમંત્રી નીતિશ કુમારે આ સ્કિમ લાગુ કરી છે. નીતિશ કુમારે આ બાબતે ટ્વિટ કરીને પણ કહ્યું છે કે, નશા મુક્તિ દિવસ પર આપણે બધા નશાથી મુક્તિનો સંકલ્પ લઈએ તેમજ સમૃદ્ધ અને સ્વસ્થ અને ખુશાહલ બિહારથી નશામુક્ત બિહારનો નિર્માણ કરીએ.