સરકારના 5 વર્ષની ઉજવણી સામે કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ થયો, જેમાં સરકારી જ્ઞાનશક્તિ કાર્યક્રમ સામે કોંગ્રેસનો શિક્ષણ બચાવો કાર્યક્રમ થયો હતો
સરકારના 5 વર્ષની ઉજવણી સામે કાર્યક્રમ
કોંગ્રેસનો શિક્ષણ બચાવો કાર્યક્રમ
અમદાવાદ પાસપોર્ટ ઓફિસ પાસે ધારણા
એક તરફ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના શપથ પછી 5 વર્ષ પૂર્ણ થયા છે. જેને લઈ સરકાર દ્વારા 1થી 9 ઓગસ્ટ સુધી સરકારની સફળતાના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તો તેની સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ સરકારની નિષ્ફળતા દેખાડવાના કાર્યક્રમ કરાયો છે. સરકારના 5 વર્ષની ઉજવણી સામે કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ થયો હતો. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં સરકારી જ્ઞાનશક્તિ કાર્યક્રમ સામે કોંગ્રેસનો શિક્ષણ બચાવો કાર્યક્રમ થયો હતો. અમદાવાદ પાસપોર્ટ ઓફિસ પાસે કોંગ્રેસનો ધારણાનો કાર્યક્રમ થયો હતો.
અમિત ચાવડાના નિવેદન પર નીતિન પટેલનું નિવેદન
અમદાવાદમાં અમિત ચાવડાના નિવેદન પર નીતિન પટેલની પ્રતિક્રિયા આપતા કહ્યું, અમિત ચાવડા રાજીનામું આપ્યું હોવા છતાં હોદ્દા છોડતા નથી. સરકારની સફળ રાજનીતિમાં લોકો સાથે છે. મીડિયામાં રહેવા માટે કોંગ્રેસ આવા નિવેદનો કરે છે. પરિવારવાદમાં કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂંક પણ કરી શકતી નથી.
ભાજપ-AAP અને કોંગ્રેસના સામસામે કાર્યક્રમ
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ 5 વર્ષ પૂર્ણ કર્યા છે. 7 ઓગસ્ટ 2016ના રોજ વિજય રૂપાણીએ CM તરીકે શપથ લીધા હતા. રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી કરશે. 1થી 9 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો કરાશે.
1 ઓગસ્ટથી કોંગ્રેસ સરકાર વિરોધી કાર્યક્રમ કરશે
કોંગ્રેસ 1થી 9 ઓગસ્ટ સુધી કરશે કાર્યક્રમ
રાજ્યભરમાં કોંગ્રેસ 1 ઓગસ્ટથી કરશે પ્રદર્શન
પ્રદેશ નેતાઓ અલગ-અલગ જિલ્લાઓમાં રહેશે ઉપસ્થિત
અમદાવાદમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં કાર્યક્રમ
પ્રદેશ કોંગ્રેસ પ્રભારી જીતેન્દ્ર બઘેલ ગાંધીનગર કાર્યક્રમમાં રહેશે
વિપક્ષ નેતા પરેશ ધાનાણી રાજકોટ કાર્યક્રમમાં રહેશે
પોરબંદર ખાતે અર્જૂન મોઢવાડિયાના આગેવાનીમાં કાર્યક્રમ
ભરતસિંહ સોલંકી આણંદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
આમ આદમી પાર્ટી પણ 1થી 9 ઓગસ્ટ સુધી કરશે વિરોધ કાર્યક્રમ
તો આ તરફ આમ આદમી પાર્ટી પણ મેદાને છે. આમ આદમી પાર્ટી પણ 1થી 9 તારીખ સુધી સરકારી કાર્યક્રમોનો વિરોધ કરશે. એક તરફ સરકાર પોતાના કાર્યો અંગે લોકો વચ્ચે રજૂઆત કરશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ 1થી 9 ઓગસ્ટ દરમિયાન લોકો વચ્ચે પોતાની વાત લઈને સરકારનો વિરોધ કરશે. સમગ્ર મામલો ગુજરાતના વિકાસલક્ષી કાર્યક્રમો સાથે જોડાયેલો છે. સરકારના છેલ્લા 5 વર્ષમાં કેવા કાર્યો રહેલા છે. તે સરકાર પોતે ગણાવશે. અને વિરોધ પક્ષ સરકારે શું નથી કર્યું તેનું ગણિત લઈને આવશે. ત્યારે આ પ્રકારે સરકારની સાથે સાથે વિરોધની વચ્ચે ગુજરાતની જનતા પોતાની સમજણથી બધુ જોઈ રહી છે.
1 ઓગસ્ટે કોંગ્રેસના વિવિધ શહેરમાં કાર્યક્રમ
પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બહાર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિક્ષણનું ખાનગીકરણ, મોંઘા શિક્ષણને લઈ શિક્ષણ બચાવો અભિયાનના નેજા હેઠળ પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાનીમાં યુનિવર્સિટી ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોંગ્રેસે ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. અને ભાજપ લોકોના પૈસે તાગડધિન્ના કરતી હોવાનો આરોપ પણ લગાવ્યો.
ભાવનગરમા એક તરફ ભાજપ દ્વારા સરકારની 5 વર્ષની સફળતાની ઉજવની થઈ રહી છે. ત્યારે કોંગ્રેસે બાબા સાહેબની પ્રતિમા સામે ભાજપની પોલ ખોલતો કાર્યક્રમ યોજ્યો હતો. કોંગ્રેસે ભાજપ પર આરોપ કરતાં કહ્યુ કે, રાજ્યમાં શિક્ષણ હવે વ્યાપાર બની રહ્યું છે. ભાજપ શિક્ષણના નામે તાયફા બંધ કરે તેવી માંગ કરવામાં આવી હતી. કાર્યક્રમમા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.