શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ગયા છે. જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ જો ભાજપનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને CM બનાવવા માટે માની જાત તો મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનની સરકાર રચાઈ હોત. સૂત્રોનું માનીએ તો શિવસેનાએ દેવેન્દ્ર ફડણવીસની જગ્યાએ ગડકરીને મુખ્યમંત્રી બનાવવા માગણી કરી હતી. આ ઓફર સામે શિવસેના અઢી વર્ષના CM બનાવાની શરતને છોડવા માટે તૈયાર હતી. જોકે ભાજપ આ મામલે માનવા તૈયાર ન હતું.
નીતિન ગડકરીને મુખ્યમંત્રી બનાવા શિવસેના હતું રાજી
રાષ્ટ્રીય સ્વય સંઘે પણ પ્રસ્તાવને આપી હતી મંજૂરી
ભાજપ હાઇકમાન્ડે પ્રસ્તાવ પર લગાવી હતી રોક
જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ નીતિન ગડકરીને મુખ્યમંત્રી બનાવાને લઇને રાષ્ટ્રીય સ્વયં સંઘ (RSS) પણ રાજી હતું. શિવસેના તરફથી આ પ્રસ્તાવ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને અપાયો હતો, પરંતુ ભાજપનું હાઇ કમાન્ડ આ પ્રસ્તાવને લઇને રાજી નહોતું.
આ અંગેની જાણકારી ભાજપ અને શિવસેનાના નજીકના સૂત્રોએ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જ્યારે શિવસેના સત્તાની બરોબર વહેંચણી તેમજ અઢી-અઢી વર્ષના સીએમને લઇને પોતાની જીદ પર અડી ત્યારે ભાજપના રણનીતિકારોએ ઉદ્ધવ ઠાકરને મનાવાની જવાબદારી નીતિન ગડકરીને સોંપી હતી.
જ્યારે કેન્દ્રીય મંત્રી ગડકરીએ મુંબઇ જઇ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી ત્યારે તે સહમતિ જોવા મળી હતી કે જો ભાજપા ગડકરીને મુખ્યમંત્રી બનાવે તો શિવસેના આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનવાની શરત છોડી દેશે. જો કે સૂત્રોના જણાવ્યાં અનુસાર ગડકરી આ મુલાકાત બાદ નાગપુર પહોંચ્યા હતા અને ત્યાં આરએસએસના મોહન ભાગવત સાથે આ ચર્ચા કરી તો તેઓ પણ રાજી થઇ ગયા હતા.
જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર ભાગવત સાથેની મુલાકાત બાદ ગડકરીએ ઉદ્ધવ ઠાકરેને આ અંગેની જાણકારી આપી. ત્યારબાદ શિવસેનાએ આ પ્રસ્તાવ જેપી નડ્ડાને મોકલ્યો. જો કે ત્યારબાદ હાઇકમાન્ડ તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું કે શિવસેનાના કોઇપણ દબાવ આગળ ઝુકવાની જરૂર નથી.
મુખ્યમંત્રી બદલવાનો મતલબ શિવસેનાનો દબાવ માનવાનું થાય, જેનો રાજકીય સંદેશ સારો નહી જાય, જેનું મુખ્ય કારણ એ હતું કે વિધાનસભાની ચૂંટણી ફડણવીસને બીજી વખત મુખ્યમંત્રી બનાવા પર લડવામાં આવીહતી. આમ મુખ્યમંત્રી નામન પર કોઇ સમજુતિ નહી કરવામાં આવે તેવુ હાઇ કમાન્ડ દ્વારા જણાવાયું હતું.