કેટલાક દિવસો પહેલા જ પીએમ મોદીએ કોરોના સંકટને લઇને 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારબાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે 5 પ્રેસ કોન્ફરન્સ કરીને આ પેકેજની જાહેરાત કરી હતી. તેને ધ્યાનમાં રાખીને સમાચાર એજન્સી એએનઆઇએ નિર્મલા સીતારમણનો ઇન્ટરવ્યૂ લીધો અને કેટલાક સવાલ પૂછ્યા. અહીં જાણીએ નાણા મંત્રીએ શુ કહ્યું છે.
પીએમ મોદીએ કોરોના સંકટને લઇને 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી
નિર્મલા સીતારમણે કહ્યું કે કેશ ટ્રાન્સફર કરવા માટે અમે જે રીત વિચારી છે તે વધુ પ્રભાવશાળી છે
કેશ ટ્રાન્સફર પર શું કહ્યું
નિર્મલા સીતારમણે કહ્યું કે લૉકડાઉન બાદ પીએમ ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરાઇ હતી. જે હેઠળ મોદી સરકારે કેશ ટ્રાન્સફર કર્યા છે. જોકે, ત્યારબાદ પણ સરકારે પોતાના વિકલ્પ બંધ કર્યા નથી. તેઓએ કહ્યું કે કેશ ટ્રાન્સફર કરવા માટે અમે જે રીત વિચારી છે તે વધુ પ્રભાવશાળી છે. તેનો વધુમાં વધુ ફાયદો લોકો સુધી પહોંચાડવા માટે મોદી સરકારે બેન્કો, બિઝનેસ અને વર્કિંગ કેપિટલ માટે આપવામાં આવેલા પૈસા દ્વારા લોકોને મદદ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું
નિર્મલા સીતારમણે પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે જ્યારે તે યૂપી સરકાર પર આટલા સવાલ ઉભા કરી રહી છે તો તેઓએ એ પણ જોવુ જોઇએ કે ઉત્તરપ્રદેશમાં 300 ટ્રેન પહોંચી, જ્યારે છત્તીસગઢમાં 5-7 ટ્રેન પણ નથી પહોંચી. નિર્મલા સીતારમણે કહ્યું કે તેઓે આ મામલે રાજનીતિ કરવા ઇચ્છતા નથી. કેમકે તમામ પ્રવાસી લોકો ભારતીય છે અને પરિસ્થિતિમાં તમામે સાથે મળીને કામ કરવાની જરૂર છે.