નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગે પત્રકાર પરિષદ યોજશે. આ દરમિયાન 20 લાખ કરોડના આર્થિક પેકેજ સાથે જોડાયેલી વિગત જાહેર કરશે. આ આર્થિક પેકેજની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે એટલે કે મંગળવારે દેશને સંબોધન સમેય કરી હતી.
પીએમ મોદીએ કર્યું હતું આર્થિક પેકેજની જાહેરાત કરી હતી
આજે નાણામંત્રી આર્થિક પેકેજ અંગે વિગતવાર માહિતી આપશે
આર્થિક પેકેજ અંગેની વિસ્તૃત જાણકારી આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે આપશે. જો કે નાણા મંત્રાલયના પ્રધાન આર્થિક સલાહકારે જણાવ્યું હતું કે સંપૂર્ણ જાણકારી બે-ત્રણ તબક્કામાં સામે આવશે. આર્થિક સલાહકારે ભરોસો આપ્યો હતો કે પેકેજથી સમાજના દરેક વર્ગને ફાયદો થશે.
આર્થિક પેકેજમાં શું હશે?
સમાજના દરેક વર્ગને આર્થિક પેકેજનો લાભ મળશે
નાના ઉદ્યોગોને રાહત
ખેડૂ, શ્રમિકોનું રાખવામાં આવ્યું ધ્યાન
મધ્યમવર્ગ અને ઉદ્યોગોને મળશે રાહત
શ્રમ, રોકડ, ભૂમિ કાયદામાં આર્થિક સુધાર
ક્યાંથી આવશે રૂપિયા?
સરકારે બજારમાંથી લોન લેવાનો લક્ષ્યાંક વધાર્યો
લોનનો લક્ષ્યાંક 12 લાખ કરોડ રૂપિયા કરાયો છે
બજેટમાં આ લક્ષ્યાંક 7.8 લાખ કરોડ રૂપિયા હતો
સરકાર વધારાની 4.2 લાખ કરોડની લોન લેશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ કરશે મદદ
સરકારે RBI પાસે 45 હજાર કરોડની મદદ માગવાની તૈયારી કરી છે
શું થશે અસર?
રાજકોષીય દેવુ 5.5થી 6 ફૂટ સુધી જઈ શકે
સરકારે આ વર્ષે રાજકોષીય દેવુ 3.5 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું
સરકારના આ રાજકોષીય દેવાને ઘટાડવું એ મોટો પડકાર છે
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારવાથી સરકારી ખજાનામાં 1.4 લાખ કરોડ આવશે
ક્રૂડ ઓઈલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળી રહ્યો છે
આ સ્થિતિમાં સરકાર માટે ટેક્સ લગાવવો સરળ રહેશે
પેટ્રોલ-ડીઝલમાં કોઈ મોટી રાહત નહીં મળે પણ કિંમતોમાં વધુ ફેરફાર નહીં પડે
RBI પણ મદદ કરશે
રિઝર્વ બેંક પણ કોરોના સંકટમાં સરકારને મદદ કરશે. હકીકતમાં ભૂતકાળમાં ન્યૂઝ એજન્સી રૉયટર્સે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક પાસેથી 45 હજાર કરોડની મદદ માંગવાની તૈયારી કરી છે. રૉયટર્સના સમાચારો અનુસાર, આવક વધારવા માટે સરકાર આ પગલાં ભરશે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઈ મોટા પ્રમાણમાં નફો વેપાર કરન્સી અને સરકારી બોન્ડ દ્વારા ફાયદો મેળવશે છે. આરબીઆઈ આ કમાણીનો એક ભાગ તેના ઓપરેટિંગ અને ઇમર્જન્સી ફંડ તરીકે જાળવે છે. આ પછી બાકીની રકમ સરકારને ડિવિડન્ડ તરીકે જાય છે.