બહુચર્ચિત નિર્ભયા કેસમાં મોટા સમાચાર આવ્યા છે, પટિયાલા કોર્ટે ચારેય ગુનેગારોને આગામી 3 માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે તેવો આદેશ આપ્યો છે. આ સાથે જ પટિયાલા કોર્ટે ડેથ વોરંટ પણ જાહેર કરી દીધું છે.
નિર્ભયાના દોષિતોને 3 માર્ચે ફાંસી
સવારે 6 વાગે અપાશે ફાંસી
તિહાડ જેલમાં આપવામાં આવશે ફાંસી
નોંધનીય છે કે, નિર્ભયાના દોષિતોને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં આપવાના આદેશ આપ્યા હતા. જો કે, ત્યારબાદ કોર્ટે સ્ટે આપ્યો હતો. આવામાં હવે નવું ડેથ વોરંટ જાહેર કરાતા પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોને 3 માર્ચના રોજ સવારે 6 કલાકે ફાંસી આપવાનો આદેશ આપ્યો છે.
અગાઉ નિર્ભયાનાં આરોપીની 1 ફેબ્રુઆરીમાં રોજ ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે તેમાં સ્ટે મુકવામાં આવ્યો હતો. નિર્ભયાના ગુનેગાર પવનની પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
2012 Delhi gang-rape case: Delhi court has issued a fresh date for execution of death warrant against all the four convicts. Convicts to be executed on March 3 at 6 am. https://t.co/lUI3flqwzU
આ પહેલા બપોરે બરાબર 2 વાગ્યે શરૂ થયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે 3 દોષિત અક્ષય, વિનય અને મુકેશની દયા અરજી નામંજૂર કરવામાં આવી છે. દોષિત પવન દ્વારા આ કેસમાં દયાની અરજી અને ક્યુરેટિવ પિટિશન હજી બાકી છે.
સરકારી વકીલે વધુમાં કહ્યું કે, હાઇકોર્ટે આપેલો એક અઠવાડિયાનો સમયગાળો પણ 11 ફેબ્રુઆરીએ પુરો થયો છે. તેમણે દલીલ કરી હતી કે હાલમાં કોઈ પણ દોષીની અરજી કોઈ પણ કોર્ટમાં પેન્ડિંગ નથી, તેથી નવું ડેથ વોરંટ જારી કરી શકાય છે.
વિનયે 11 ફેબ્રુઆરીથી ખાવા-પીવાનું છોડ્યું
સરકારી વકીલની દલીલ બાદ દોષિતોના એ.પી.સિંહે કહ્યું કે વિનયની માનસિક સ્થિતિ સારી નથી. તેણે કહ્યું કે તેની હાલત એટલી ખરાબ છે કે તેણે 11 ફેબ્રુઆરીથી ખાવાનું પીવાનું પણ બંધ કરી દીધું છે. એ.પી.સિંહે કોર્ટને કહ્યું કે આજે વિનયની માતા તેને જેલમાં મળવા ગઈ હતી, વિનયના આખા માથા પર પટ્ટીઓ બાંધેલી હતી. આ એક ગંભીર બાબત છે. તેણે અદાલતને વિનયનો મેડિકલ રિપોર્ટ મેળવવા માટે કહ્યું અને કહ્યું કે તેના માથામાં પણ ઘણી ઘા છે છે. જેલ અધિક્ષકને રિપોર્ટ માંગતી વખતે જેલના માર્ગદર્શિકાની કાળજી લેવાનું કહેવું જોઈએ.