નિર્ભયાનાં ગુનેગાર વિનયે રાષ્ટ્રપતિને દયા અરજી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને ગુનેગારોનાં વકીલે પટિયાલા હાઉસ કોર્ટમાં ફાંસી પર સ્ટે માંગ્યો હતો. પટિયાલા કોર્ટે તેની સુનવણીનો સમય બદલ્યો હતો. જેલ તરફથી દલીલ હતી કે એકની જ અરજી પેન્ડિંગ છે 3ને ફાંસી આપો.
ફાંસીને હાલ પુરતી સ્થગિત કરવા પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી
જેલ તંત્રએ કહ્યું વિનય સિવાય કોઈની અરજી પેન્ડિંગ નથી 3 ને ફાંસી આપો
નિર્ભયાના દોષિત વિનયની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે. ત્યારે પટિયાલા હાઉસ કોર્ટમાં તિહાડ જેલ તંત્ર તરફનો જવાબ રજુ કરતાં ઈરફાન અહમદે ગુનેગારોના વકીલની દલીલનો વિરોધ કરતાં કહ્યું હતું કે, વિનયની દયા અરજી પેન્ડિંગ છે. બીજા કોઇ દોષિતોની અરજી પેન્ડિંગ નથી. વિનય સિવાયના ગુનેગારોને ફાંસી આપી શકાય. ’ જ્યારે ગુનેગારોનાં વકીલ એ.પી. સિંહે કહ્યું હતું કે કોર્ટે ચારેય ગુનેગારોને સાથે સજા સંભળાવી છે. એકની અરજી પણ પેન્ડિગં હોય તો ફાંસી ન અપાય. રાષ્ટ્રપતિ પાસે વિનયની દયા અરજી પેન્ડિંગ છે. તેમજ તેમણે કહ્યું હતું કે દયા અરજી ફગાવ્યા બાદ 14 દિવસ અપાય છે. ડોથ વોરન્ટ પર અનિશ્ચિતકાળ માટે રોક લગાવો અને બાકીનાંને ફાંસી ન આપી શકાય તેથી નવી તારીખ આપો.
2012 Delhi gang-rape case: Pawan Gupta, a convict in the case, has filed a review petition before the Supreme Court challenging SC's earlier order of dismissal of his Juvenile plea. pic.twitter.com/G5O1gF7WkB
નિર્ભયા કેસનાં ચાર ગુનેગારો માંથી પવન ગુપ્તાએ ફાંસીથી બચવા માટે ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં ગયો છે. નિર્ભયાના ગુનેગાર પવને સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી છે. તેણે ગુના સમયે સગીર હોવાની દલીલને ફગાવનારા આદેશને પડકાર્યો છે. આ જ કારણે આગળ ધરીને તેણે ડેથ વોરંટ રોકવાની માંગણી કરી છે.
ગુનેગારો અવનવા પેંતરા
વિનયે માતા પિતાની લાગણી ધરી મોંતમાંથી મુક્તિ માંગી છે. ઉલ્લેખનીય છે કે ગુનેગારો ફાંસીથી બચવા માટે અવનવા કાયદાકીય રસ્તા અપનાવી બચવાનો પ્રયાસ કરે છે. મુકેશની દયા અરજી ફગાવાયા બાદ ફાંસની તારીખ 22 જાન્યુઆરીની જગ્યાએ 1 ફેબ્રુઆરી કરાયી હતી. હવે વિનયે રાષ્ટ્રપતિને દયા અરજી કરી કહ્યું હતું કે,‘તે જેલમાં માનસિક રીત ત્રસ્ત થયો છે. તેમજ તેમણે અરજીમાં લખ્યું છે કે તે જીવવા નહોતો માંગતો પણ માતા પિતાનો ઉલ્લેખ કરી કહ્યું કે દીકરા તને જીવતો જોઈને અમે જીવીએ છીએ. ત્યારથી મે મરવાનો વિચાર છોડી દીધો છે. વિનયની દયા અરજીમાં તેણે કહ્યું કે મારા માતા પિતાએ કહ્યું કે તુ અમારા માટે જીવતો રહે.’ ઉલ્લેખનીય છે કે મુકેશની રાષ્ટ્રપતિના ફાંસીનાં નિર્ણયની અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી. બીજી તરફ અક્ષયની ક્યુરેટિવ પિટીશન પણ ફગાવાઈ છે.