કેરળમાં નિપાહ વાયરસે ચિંતા વધારી છે. અહીયા 2 સ્વાસ્થ્ય કર્મીઓમાં પણ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે જેના કારણે કેન્દ્રેએ તાબડતોબ તેમની એક ટીમ કેરળમાં મોકલી છે.
કેરળમાં નિપાહ વાયરસનો હાહાકાર
કેન્દ્ર સરકારે તાબડતોબ ટીમ મોકલી
2 સ્વાસ્થ્ય કર્મીઓમાં જોવા મળ્યા લક્ષણો
કેરળમાં કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસને કારણે એક બાળકનું મોત થયું હતું. 12 વર્ષના બાળકનું નિપાહ વાયરસને કારણે મોત થતા દેશમાં હડકંપ મચી ઉઠ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારની ટીમે તે બાળકને પરિવાર સાથે મુલાકાત લીધી હતી.
150 લોકો ક્વોરન્ટીન
પરિવારજનોના કહેવા પ્રમાણે બાળકે રામબૂટાન ફળ ખાધું હતું અને બાદમાં તે સંક્રમીત થયો હતો. જેથી કેન્દ્રની ટીમે તે ફળના સેમ્પલ લઈને તપાસ હાથ હાથ ધરી છે. સાથેજ તે જાનવરોની પણ ઓળખ કરી છે. જેના સંપર્કમાં બાળક આવ્યો હતો. ઉપરાંત બાળકના સંપર્કમાં આવેલ કુલ 150 જેટલા વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
2 સ્વાસ્થ્ય કર્મીઓમા જોવા મળ્યા લક્ષણો
જે 150 વ્યક્તિઓને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. તેમાથી 2 સ્વાસ્થ્ય કર્મીઓમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. જેને લઈને કેન્દ્ર સરકારના અધિકારીઓએ પણ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે જો કોઈને પણ લક્ષણો જણાય તો તુરંત ડૉક્ટરની સલાહ લેવી.
સ્થાનિકોને પ્રોટોકોલનું પાલન કરવા સૂચના
કેન્દ્ર સરકારના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નિપાહ વાયરસનો મૃત્યુદર 40 થી 80 ટકા સુધીનો છે. અધિકારીઓએ સ્થાનિકોને પ્રોટોકોલનું પાલન કરવા સુચના આપી છે. સાથેજ મૃતક બાળકના પરિવારની આસપાસ 3 કિલોમિટરના વિસ્તારમાં પ્રતિબંધો લગાવી દિધા છે. એટલે આસપાસનો સમગ્ર વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં મુકી દીધો છે.
સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા સૂચના
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે એવું કહ્યું કે નિપાહ વાયરસને કારણે જે બાળકનું મોત થયું તેને લઈને ઘણું દુખ છે. બાળકની હાલત પહેલાથીજ ઘણી નાજુક હતી. મૃત્યુ બાદ જ્યારે તેના સેમ્પલ લેવાયા તો તેમા સામે આવ્યું કે બાળકનું મોત નિપાહ વાયરસને કારણે થયું છે. સમગ્ર મામલે બાળકના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.