કેરળ બાદ તમિલનાડુમાં પણ નિપાહ વાયરસે દસ્તક આપી છે. જેના કારણે સ્વાસ્થ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે અને તાવ વાળા દર્દીઓનું ટેસ્ટીંગ કરાવા માટે કહ્યું
કેરળ બાદ તમિલનાડુમાં નિપાહ વાયરસની દસ્તક
નિપાહ વાયરસને લઈ સ્વાસ્થ્ય વિભાગ થયુ દોડતું
તાવ વાળા દર્દીઓના ટેસ્ટિંગ કરવાના આપ્યા આદેશ
દક્ષિણ ભારતમાં કોરોનાની સાથે સાથે નિપાહ વાયરસનો ખતરો પણ વધતો જઈ રહ્યો છે. જેના કારણે અહીયાના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગતરોજ કેરળમાં એક નિપાહ વાયરસનો કેસ સામે આવ્યો હતો. ત્યારે આજે વધુંમાં તમિલનાડુના કોયંબટૂરમાં પણ નિપાહ વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે.
કોયંબટૂરમાં નિપાહ વાયરસની દસ્તક
કેરળમાં નિપાહ વાયરસને કારણે 12 વર્ષના બાળકનું મોત થયું હતું. ત્યારે આજે ફરી વખત કોયંબટૂરમાં જિલ્લા અધિકારી ડૉ જીએસ સીમરને કહ્યું કે જિલ્લામાં એક નિપાહ વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે.
તાવ વાળા દર્દીઓનું થશે ટેસ્ટિંગ
વાયરસની પુષ્ટિ થયા બાદ અહીયા સ્વાસ્થ્ય વિભાગ ફરી દોડતુ થઈ ગયું છે. વાયરસને રોકવા માટે તેમણે બધીજ સાવધાનીઓ રાખી છે. સાથેજ તેમણે કહ્યું કે જે પણ વધારે તાવ વાળા દર્દીઓ છે. તે દરેક દર્દીઓના ટેસ્ટીંગ કરવામાં આવશે.
કેન્દ્રની ટીમ પહોચી કેરળ
આપને જણાવી દઈએ કે કેરળમાં અત્યારે કોરોનાને કારણે સૌથી ખરાબ હાલત છે અને વધુમાં ત્યા નિપાહ વાયરસે દસ્તક આપી છે. જેના કારણે કેન્દ્ર સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. આજે કેન્દ્ર સરકરાની ટીમ પણ કેરળમાં પહોચી હતી. જ્યા તેમણે નિપાહ વાયરસથી મૃત્યુ પામેલા બાળકના પરિવાર સાથે મુલાકાત લીધી હતી.
સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે એવું કહ્યું કે નિપાહ વાયરસને કારણે જે બાળકનું મોત થયું તેને લઈને ઘણું દુખ છે. બાળકની હાલત પહેલાથીજ ઘણી નાજુક હતી. મૃત્યુ બાદ જ્યારે તેના સેમ્પલ લેવાયા તો તેમા સામે આવ્યું કે બાળકનું મોત નિપાહ વાયરસને કારણે થયું છે. સમગ્ર મામલે બાળકના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.