ચીનમાં, ફૂડ પોઇઝનિંગના કારણે એક જ પરિવારના 9 લોકોનાં મોત નીપજ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ એક વર્ષ સુધી નૂડલ ફ્રીઝમાં રાખવામાં આવ્યાં હતાં, ત્યારબાદ લોકો તેને ખાધા પછી બીમાર પડ્યા હતા.
12 લોકો નૂડલ ખાવા માટે ભેગાં થયા હતાં જેમાંથી 9ના મોત
પીડિત પરિવાર ઉત્તર પૂર્વ ચીનના હેલોંગજિયાંગમાં રહેતો હતો
ત્રણ લોકોએ તેના વિચિત્ર સ્વાદને કારણે નૂડલ ખાવાની ના પાડી હતી
શું છે સમગ્ર મામલો ?
પરિવારે લાંબા સમય સુધી ફ્રીઝમાં રાખેલા નૂડલમાંથી નૂડલનો સૂપ તૈયાર કર્યો. ડેઇલી મેલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આ પરિવારના લોકો જમ્યાના કલાકો પછી જ બીમાર પડી ગયા હતાં. જો કે, કુલ 12 લોકો નૂડલ ખાવા માટે ભેગાં થયા હતાં. જેમાંથી 9ના મોત થયા હતા.
ધીમે ધીમે નવના મોત
રિપોર્ટ અનુસાર, ઝેરી ખોરાક ખાવાની આ ઘટના 5 ઑક્ટોબરની છે. 10 ઑક્ટોબરે સાત લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે આઠમા વ્યક્તિનું બે દિવસ બાદ મોત નીપજ્યું હતું. છેલ્લા વ્યક્તિનું સોમવારે અવસાન થયું હતું.
રાષ્ટ્રીય ચેતવણી આપી દેવામાં આવી
પીડિત પરિવાર ઉત્તર પૂર્વ ચીનના હેલોંગજિયાંગમાં રહેતો હતો. આ ઘટના પછી, ચાઇના હેલ્થ કમિશને રાષ્ટ્રીય ચેતવણી જારી કરી છે અને લોકોને ફરમેન્ટેડ લોટથી બનેલા ખોરાકને ટાળવાની સલાહ આપી છે.
નૂડલ ખાધા પછી બીમાર પડેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. એમ કહેવામાં આવે છે કે ત્રણ લોકોએ તેના વિચિત્ર સ્વાદને કારણે તે દિવસે નૂડલ ખાવાની ના પાડી હતી.