થોડા દિવસ પહેલા જ ISISના બે આતંકી ભાઈઓની ધરપકડ બાદ ચોટીલા મંદિરને ઉડાવી દેવાનું સડયંત્ર ખુલ્યું હતું ત્યારે ગુજરાતનાં પાચ યાત્રાધામોમાં સમાવેશ થતા યાત્રાધામ ડાકોરમાં હાલ ફાગણી હોળી પૂનમનો મેળો ચાલી રહ્યો છે અને આ મેળા દરમિયાન ડાકોરના ઠાકોર રણછોડજીના ૨૦ લાખ લોકોએ દર્શનનો લાભ લેવા પદયાત્રા દ્વારા ડાકોર તરફ પ્રયાણ કર્યું છે. ત્યારે તેમની સુરક્ષા અને સુવિધા માટે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ખેડા જીલ્લા પોલીસે કમર કસી લીધી છે અને કોઈ પણ પરીસ્થિતીને પહોંચી વળવા 6 વિભાગમાં ડાકોરની સુરક્ષા વહેંચી લીધી છે જેમાં આધુનિક હથિયાર અને CCTV સજ્જ વાહનો ક્રોસ પેટ્રોલિંગ તમામ રૂટો ઉપર CCTV દ્વારા કંટ્રોલ રૂમથી બાજ નજર સાથે તમામ ઋત ઉપર પોલીસ સેવા કેન્દ્ર અને પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે.