તાપીના સોનગઢમાં આવેલા જમાદાર ફળિયામાં એક મકાનનો કાટમાળ ધરાશાયી થતાં એક બાળકનું ઘટના સ્થળે મોત થયું છે. જયારે 3 મહિલાને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ ઘટના ત્યારે બની જયારે મકાનનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મકાનની છત્ત સહિતનો કાટમાળ અચાનક ધરાશાયી થયો હતો. જેમાં 5 વર્ષના બાળકનું દટાઇ જતાં મોત થયું હતું. જયારે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.