37 વર્ષ પહેલા મોરબી શહેરને મચ્છુ જળહોનારતનો સામનો કરવો પડયો હતો. મોરબી શહેરને મચ્છુ જળ હોનારતે વેરાન કરી મુકયું હતું. વધુ પડતા વરસાદના કારણે મોરબીના મચ્છુ ડેમ ટુટી પડતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. 37 વર્ષ પહેલા બનેલી ઘટનાને લઈ આજે ત્યાના સ્થાનીકો શુ કહી રહ્યા છે આવો જાણીએ આ અહેવાલમાં.
મૂશળધાર વરસાદને પગલે 11/8/1979ના રોજ મચ્છી-ર બંધ તૂટી પડયો હતો અને ચો તરફ જળ હોનારત સર્જાઇ હતી. જેણે મોરબીને તબાહ કરી નાંખ્યુ હતુ. ડેમ પાછળના જળાશયમાંથી નીકળીને મોરબી પર ફરી વળેલા પાણીએ કેટલાના જીવ લીધા તે આંકડો આજે પણ ચોક્કસ નથી.એવી અટકળો થાય છે કે આ હોનારતમાં ૨૫૦૦૦ જેટલા મોરબીવાસીઓએ જીવ ખોયા હતા.
મોરબી શહેર ઉપરાંત મોરબી-માળીયા તાલુકાનાં 68 ગામડાઓની 1 53 000ની વસતિને ભારે અસર પહોંચી હતી. જેના પરીણાએ અનેક લોકો સહીત પશુઓએ જીવ ગુમાવા પડયા હતા. તો લાખોનું નુકસાન થવા પામ્યું હતું.
37 વર્ષ પહેલા માટીબંધ ઉપરથી પાણી વહેતા અહીં પાકા ડેમનાં માટીબંધમાં ભંગાણ પડયું હતું. જેને પગલે વિનાસ સર્જાયો હતો. ત્યારે ભૂતકાળ સમી યાદગીરી આજે પણ અહીંના સ્થાનીકોમાં તાજા છે. જેને યાદ કરીને તેઓની રૂવાટીઓ ઉભી થઈ જાય છે. તો પોતોના સ્વજનોને ખોયેલા લોકોની આંખો ભીંજાય જાય છે.
હાલ તો આ ગોજારા બનાવને 37 વર્ષ પુર્ણ થયા છે પણ જ્યારે પણ વરસાદની રૂતુ આવે છે ત્યારે પોતાના સ્વજનોને ગુમાવનારાઓ 37 વર્ષ પહેલા બનેલી ઘટનાને યાદ કરી આશું માત્ર ઓસરે છે.
મોરબી હોનારત થવાના કારણો
મોરબીના મહારાજાએ ૧૯૨૮માં ડેમ બાંધવાની વિચારણા કરી હતી. પરંતુ તે વખતે તત્કાલિન હાઈડ્રો એન્જીનીયર વિશ્વૈશ્વરૈયાએ મહારાજાને ચેતવ્યા હતા કે સૂચીત જગ્યાએ બંધાનારો ડેમ મોરબી માટે આશીર્વાદરૂપ નહી પરંતુ મોરબીના વિનાશનું કારણ બનશે. આથી સલાહ બાદ મહારાજાએ આ યોજના પડતી મુકી હતી. આઝાદ ગુજરાત સરકારે જ્યારે આ ડેમ બાંધવાનુ નક્કી કર્યુ ત્યારે વર્ષો પહેલાની ચેતવણી તો ભુલાઈ જ ગઈ હતી પરંતુ કેન્દ્ર સરકારે સૂચવેલી કેટલીક ટેકનીકલ બાબતોને પણ અવગણવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે ડેમનુ સૂચિત સ્થળ બદલવાનુ કહ્યું હતુ. બીજી તરફ પૂર આવે તો ડેમમાં કેટલુ પાણી ભરાય અને મહત્તમ કેટલુ પાણી છોડી શકાય તેની ગણતરી પણ યોગ્ય રીતે થઈ ન હતી.
– ગણતરી માટે નવી ટેકનીકલ પધ્ધતિ અપનાવવાના કેન્દ્ર સરકારના સૂચનોની અવગણના થઈ હતી.
– મોરબી અને માળીયાની પ્રજાને ડેમ તુટવાની શક્યતાઓ અંગે સમયસર ચેતવણી પણ મળી નહતી. તેના કારણે હોનારતમાં મરનારાઓની સંખ્યા વધી ગઈ હતી.
– ટેલીફોન તથા તારની સુવિધાઓ બગડી ગઈ હોવાથી ડેમ સાઈટ પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે ચેતવણી આપવાનુ મુશ્કેલ બની ગયુ હતુ.