ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે આપત્તિજનક ટીપ્પણી કરવાનું કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને ભારે પડી ગયું છે.. ભાજપે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે..
સુરત પશ્ચિમ બેઠકની પેટાચૂંટણીના પ્રચાર માટે અર્જુન મોઢવાડિયા શનિવારે સુરતમાં હતા...રાંદેરમાં કોંગ્રેસના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે તેમણે નરેન્દ્ર મોદી અંગે વ્યક્તિગત ટિપ્પણી કરી હતી..યુવતીની જાસુસી કરવાના પ્રકરણને લઈને મોઢવાડિયાએ મોદી પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને ભાજપે આદર્શ આચારસંહીતાનો ભંગ ગણાવ્યો છે અને અર્જુન મોઢવાડિયા વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડ અંતર્ગત પગલા લેવા જોઈએ તેવી માગ કરી છે. ભાજપે તેમની વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરી છે. તો આ તરફ મોઢવાડિયાએ પણ વળતો પ્રહાર કર્યો છે. મોઢવાડિયાએ કહ્યું કે સીડીમાં જે સાહેબનો ઉલ્લેખ છે તેને ઉદ્દેશીને તેમણે આ નિવેદન આપ્યું છે.ત્યારે ભાજપે સીડીમાં જે સાહેબ છે તેનું નામ જાહેર કરવું જોઈએ..
લોકસભા ચૂંટણીના પડઘમ શરૂ થતાની સાથે જ બંને પક્ષોએ એકબીજા સામે આક્ષેપબાજી કરી રહ્યા છે.. પરંતુ આ આક્ષેપબાજીમાં ક્યારેક નેતાઓની જીભ લપસી જાય છે અને એક વિવાદને જન્મ આપતા હોય છે.